________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો યની યથા... કોણ પાળશે એક તિથિ કે બે તિથિ ? કોણ પાળશે સૂતક ધર્મ? કોણ કરશે ચોમાસામાં શત્રુંજયની યાત્રા? કોણ બોલશે સંતિકરં? કોણ રાખશે ગ્રહણ સમયે મંદિરો બંધ? કોણ કરશે નવાંગી ગુરુપૂજન? આટલા મિક્ષ પ્રશ્નો જોઈને વિચારતા થઈ ગયા ને? પણ મારો મુદ્દો માત્ર એટલો જ છે કે જો જૈનો જ નહિ બચે તો આ બધી ક્રિયાઓ કોણ કરશે? જૈનો ની વસ્તી દિવસે દિવસ ઘટતી જાય છે....બચેલા જૈનો પણ અન્ય ધર્મ પાછળ પાગલ છે....કેટલાય જૈનો ધર્મ છોડી સંપ્રદાયવાદની પાછળ પાગલ છે...કેટલાય જૈનો ને જૈન એટલે શું તે પણ ખબર નથી.. તો કેટલાય જૈન ધર્મના નામે રાજકારણ ના રોટલા શેકી રહ્યા છે. વળી દેરાસર ઉપાશ્રયમાં આવી સાધુ ભ. ના પરિચયમાં આવનાર જૈનો માત્ર 20% છે, તો બાકીના 80% જૈનો કોના ભરોસે? વળી તે બચેલા 20% માંથી પણ 5% હશે જે થોડા વફાદાર બાકી 15% તો માત્ર પ્રભાવનાસ્વામીવાત્સલ્ય અને કટાસણા ફાડવા માટે ના...આ સ્થિતી વર્તમાનમાં શ્રી જૈન સંઘ ની છે...તો પછી આપણા ઓચ્છવ-મોચ્છવ, આડંબર, સ્વામીવાત્સલ્ય વગેરેએ શું ઉકાયું? સત્ય- સિદ્ધાંત -શાસન ની વાતોથી શું થયુ? સમજવાની જરૂરત છે કે હાલ જૈનો સાંઈબાબા, ગણપતિ, હનુમાન, શ્રીમદ્, સ્થાનક, દાદા ભગવાન વગેરે પંથો તરફ વળવા લાગ્યા છે...આ વાત ખરેખર વિચારણીય છે...જૈનો અને હિંદુને એક ગણનારા લોકોની આ ભેળસેળ છે...FOREIGN માં ભણવા મોકલતા વાલીઓ પણ વિચારતા નથી કે જૈનત્વ ક્યાં સુધી ટકશે તેમના છોકરાઓનું, FOREIGN માં જનારા મોટાભાગના છોકરાઓ જૈનશાસનથી સંપૂર્ણ વિમુખ થઈ જતા હોય છે. તેઓ સ્વામીનારાયણ, ઇસ્કોન આદિ તરફ વળવા લાગે છે. આવા સમયમાં જે જૈનો છે તેમનામાં જૈનત્વ કેમ બચશે તેના સમુચિત ઉપાયો કરવાનો સ્થિર વિચાર સાથે સ્થિર કાર્ય શરૂકરી દેવાય તે ઈચ્છનીય છે. મેં ખુદ મારી નજરે જૈનો ને ઇસ્લામ ખ્રિસ્તી, વગેરે ધર્મો સ્વીકારતા જોયા છે... તો હિંદુધર્મ જૈનો સ્વીકારે છે તે આજે સહજ બની ગયું છે. જૈનોના ઘરમાં ચોકલેટ-બિસ્કીટ-કેક આદિ દ્વારા INDIRECTLY ઈંડા ઘુસી ગયા છે...તો દારૂ, જુગાર આદિ પ્રવૃતિઓ