________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ઉપરાંત હમણાં પૂ.આ. નેમસૂરિજી સમુદાયના પૂ.આ. નંદીઘોષ સૂ.મ.એ પણ આ અંગે દિશાસૂચક પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ સાથે મારું લખેલું જંબૂ જિનાલય શુદ્ધિકરણ પણ ઉપયોગી થશે.આ વિષયમાં વધારે ગુરુભગવંતો અને યુવાનો તૈયાર થાય તે જરૂરી છે. લેપ, ઓપ,ચક્ષુ આદિ ની માહિતી હોય, અનુભવ હોય તેવા ગુરુભગવંતો એ રસ લઈ નવી પેઢી તૈયાર કરવા જેવી છે. (C) જૈન સંગ્રહાલય એવં પ્રતિમાભંડારઃ જૈનોનું પોતાનું સંગ્રહાલય દરેક સ્થાનોમાં હોય.દરેક તાલુકા-જીલ્લા લેવલે આવા સંગ્રહાલયો બને જ્યાં તે જિલ્લાના ગામોમાંથી મળતી મૂર્તિઓનું સંગ્રહ કરવામાં આવે, પ્રતિમાજી ખંડિત હોય તો તેનું અલગ મ્યુઝીયમ અને અખંડ હોય તો પ્રતિમાભંડારમાં મૂકી અન્યત્ર જરૂરત મુજબ મોકલાવી અપાય. આ ઉપરાંત ભવિષ્ય માટે વિશાળ મૂર્તિભંડારો ઉભા કરવા જેવા છે. શિલાલેખો, પ્રાચીન વાસણો, ચંદરવા, પુઢિયા, પ્રાચીન ત્રિગડા, પ્રાચીન કોતરણી આદિ સાચવવાની ખાસ જરૂરત