SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મરતાં દુ:ખને સહન કરતા અને પાપફળ ભોગવતા અનંતાન - કાળ વીતી ગયા. . હે કેટવાલ ! આ સંસારમાં જે જે દુ:ખ મેં સહન કર્યા તે સઘળાને હું જાણું છું અને તેથીજ ઇંદ્રિયજનિત વિષયસુખેથી વિરક્ત થઈ ભિક્ષાભોજન કરું છું, અને તે પણ આત્માને કષ્ટ આપતા. અ૮૫ આહાર લઉં છું. નિર્જન વનમાં નિવાસ કરી મિાનપૂર્વક રહું છું. કદાચિત ધર્મનો ઉપદેશ પણ આપું છું. મેહથી જુદે થઈ નિદ્રા પણ લેતા નથી. સામ્ય જળથી ક્રોધાગ્નિને શાંત કરતે,વિનયવ માનને ન્હસાડતા અને સરળ ભાવથી કપટને દૂર કરતો સંતાપથી લોભનો તિરસ્કાર કરું છું, તથા હારય અને લીલા વિલાસ કરતા નથી. ઉદ્વેગને છેડી તપાગ્નિથી મદનના વેગને ભસ્મ કરું છું. ભય રહિત થઈ શક કરતો નથી, પરંતુ હિંસારંભના આડંબરથી ઘણે દૂર રહી પોતાના આમના ધ્યાનમાં મગ્ન રહું છું. : - હે નરક્ષક ! હું સ્ત્રીને જોવામાં આંધળા, ગીત સાંભળવાને બહેરે, ખોટા તીર્થમાં જવાને પાંગળા અને વિકથા કરવાને મૂગે છું. જીવને આધારભૂત જે શરીર છે તે જો કે અચેતન છે, તેપણ બળદેવડે ચલાવેલા ગાડાની માફક ચેતનવડે ચલાવેલા ચેતન જેવું જ દેખાય છે. જે પ્રમાણે બળદ વિના ગાડું ચાલી શકતું નથી, તે પ્રમાણે પુગળ પરમાણુઓને પિંડ જે શરીર છે, તે ચેતન-જીવ વિના ચાલી શકતો નથી, એ કારણથી જીવ જુદે છે અને શરીર જુદું છે, એવો વિચાર કરી - હું નિગ્રંથ મુનિ થયે, માટે બીજાં કાંદની અભિલાષા કરતો નથી * પરંતુ ફક્ત મોક્ષની ઇચ્છા કરતો ધ્યાનારૂઢ રહું છું. હું વનમાં રહે = =================elSurve. JUN GUN ALTSUNAK MUSE
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy