SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જે મેં આપને ખાવાને માટે રાખી મુક્યા હતા, તે આજ આપને અર્પણ કરું છું, માટે આપ સર્વથી પહેલાં આ અમૃતમય અતિ સ્વાદિષ્ટ લાડુને સંપાદ લો. તે પછી અનેક મસાલાદાર શાક, દાળ ઉગેરે પણ પીરસ્યાં. * - * . ' . . . * ( નૃપવર! તે દુષ્ટ સ્ત્રીના ચરિત્રથી જે કે હું વિરક્તચિત્ત હતા, પરંતુ ફરી તેની સ્નેહપૂરિત મેહની વાતમાં મોહિત થઈને જ્ઞાનશૂન્ય થઈ ગયેા. તે વખતે મને કંઈપણ વિચાર રહે નહિ અને સઘળી ઉત્તમ ભેજનને છોડીને હમે મા દિકરાએ પ્રથમ તે ઝેરવાવ લાડજ ખાધા. તરતજ તે લાડુના ઝેરની વેદનાથી હમારૂં બને શરીર ધુમવા લાગ્યું. જ્યારે મેં જાણી લીધું કે આમાં માટે દગા છે ત્યારે મારા મુખમાંથી વૈદ્ય ! વૈદ્ય !વૈદ્યને જદી બોલાવે ! આટલાજ શબ્દ નીકળ્યા કે તરત મૂછિત થઇને બેભાન થઈ ગયા તે વખતે તે દુષ્ટ કપટષા અમૃતા “હા નાથ ! હા નાથ' શબ્દ કરતી પકારવા લાગી અને માયાપૂર્વક રૂદન પણ કરવા લાગી અને પત્ર મારા શરીર ઉપર ચઢીને તે દુષ્ટા એ મને ખૂબ માર્યો. ... - ..હાડા વડે યશોધરને મોતને ઘાત. . . - પૃથ્વીનાથ ! પછી તે દુઆણીએ વિચાર્યું કે જે કદાચ વૈધ આવી પહોંચશે, તો મારું કપટ ખુલી જશે, માટે એક ઉપાય કર જોઇએ કે જેથી વૈધના આવવા છતાં પણ મારે માયાચાર પ્રગટ થાય નહી. આ પ્રમાણે વિચાર કરી તે અમૃતાએ તીશું કૂહાડા વડે મારા ગળામાં ઘા કરીને મને માર્યો, અને પછી -લોકદેખાડામણું કરવાને માટે હા નાથ ! હા પ્રાણવલ્લભ ! વગેરે પકાર કરીને રૂદન કરવા લાગી.. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy