SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અને સમસ્ત આશાઓને પુરવાવાળી કુલદેવતા ચંડમારીને સઘળr છના યુગલનું બળીદાન આપવાથી દુઃખ, કલેશ, કલહ અને - નઠારાં સ્વમ વગેરે સઘળા કષ્ટની શાંતિ થાય છે, તે તેમ કરવાથી તારી પણ શાંતિ જરૂર થશે તે માટે હે પુત્ર ! તું પણ કુળદેવતાની સેવામાં તૈયાર થઈને શાંતિ કર્મ કરવાના ઉપાય કર ! ! ! ! हिंसामय उपाय विरुद्ध यशोधर राजानो उत्तर. * હે રાજન! જે વખતે મારી માતા ઉપર પ્રમાણે દયારહિત વચનો કહ્યાં, તે વખતે કરૂણથી કંપિત હૃદયવાળા હું કહેવા લાગ્યો-“ હે જનની ! મહા પાપનું કારણ એ પ્રાણિઓને વધ કેવી રીતે કરો ! કેમકે જીવહિંસા સમાન બીજું કોઈ પાપ નથી. જેઓ પર જીવને દુઃખ દઈને પોતાની રક્ષાની ઇરછા કરે તેઓ અગ્નિથી શીતળ થવાનું ચાહે છે. એ તો દેખીતુજ છે જે બીજાનો ઉપકાર કરે છે તેનું ભલું થાય છે અને જે બીજાનું બુરું કરે છે તેનું બુર્જ થાય છે અને તેનું ભલું ત્રણ કાળમાં પણ થઈ શકતું નથી, કેમકે જીવવધમાં પ્રત્યક્ષ પાપ છે, અને પાપનું ફળ દુઃખ છે, તો એનાથી શાંતિ કેવી રીતે થશે ? કદી થશે નહીં. * * - માતુશ્રી ! જે જીવને ઘાતક થાય છે, તેને તે જીવવડે અનેક પ્રકારે વાત કરવામાં આવે છે, એ માટે પાપરૂપી જહાજમાં બેસીને વિનરૂપી નદીને પાર કેવી રીતે જઈ શકાય છે? એ સિવાય બીજી - પણ એક વાત છે કે જે જીવવધમાંજ ધર્મ હોય અને એનાથીજ વિદનની શાંતિ થઈ જાય તો પાપ કયા કાર્યમાં થશે ? “મર્દા grH ધર્મઃ આ વાક્યને સઘળા મતવાળા માને છે અને દરરોજ બોલે છે. આ વાકયની વિરુદ્ધ કોઈપણું નથી, તો પછી જીવવધમાં ધર્મ .P.P. 1 Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy