SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એને મોટા કુળમાં ઉત્પન્ન કરીને મારા ભર્તાર કેમ ન બનાવ્યા? અને જે એવું નથી કર્યું તે મને જીવતી શું કામ રાખી ?" " પ્રિયવર ! આપની ગેરહાજરીમાં જે વખત વ્યતીત થાય છે, તેને હું એમ માનું છું કે પૂર્વ સંચિત પાપકર્મના ઉદયનું ફળ આજે ભોગવું છું. આ પ્રમાણે કુબડાને પ્રાર્થના કરવી અમૃતાદેવી ફરીથી કૂબડાનું મન પ્રસન્ન કરવાને માટે પ્રતિજ્ઞા લેવા લાગી કે જે કદાચ ચશેધર રાજા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય, તે હું નૃત્ય કરીશ, અને ચૈત્ર માસમાં નૈવેધથી કાત્યાયિની દેવીની પૂજા કરીશ. कूबडो अने राणी अमृतादेवी प्रेमपाससा. માદિત મહારાજને ક્ષુલ્લકજી વળી પણ કહેવા લાગ્યા–“હે રાજના અમૃતાદેવી ઉપર પ્રમાણે નમ્ર વચને વડે પિતાના યાર કૂબડાને સંતોષિત કરીને ગાઢ આલિંગન કરવા લાગી. તે સમયે બન્ને જણું પ્રેમસાગરમાં નિમગ્ન થઈને ભય લજાને એકદમ ભૂલી ગયા!! . છે. તે વખતે તે બન્નેની અવસ્થા જેવાથી મારે ક્રોધ સમા નહિ અને તરતજ સંગ્રામના લોહીની તરસી, દુશ્મનોના મસ્તકોને કાપનાર અને વિદ્યુત સમાન ઝળહળતી તરવાર મ્યાનમાંથી કાઢીને જેવો તે બન્નેને મારવાને તૈયાર થયો કે તે વખતે મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે જે તીક્ષ્ણ તરવારથી પ્રબળ વીરાની સેનાને નાશ કર્યો, જે તરવારથી રાજાઓને હરાવ્યા, જે તરવારથી મહા ભયકંર સિંહોને નાશ કર્યો તે તરવારથી આ ગરીબોને કેમ મારૂં ? જે તરવાર રણસંગ્રામમાં શત્રુઓના મસ્તક પર પડી, તે ગરીબોના મસ્તક પર કેમ પડે ? વગેરે વિચાર કરીને મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy