SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 146 જાતના તથા પાંચ પ્રકારનાં ઉપમારહિત દુઃખને સહન કરે છે. જે છની..હિંસા કરે છે, મિથ્યા ભાણ કરે છે, ચોરીમાં તૈયાર હોય છે, પરસ્ત્રીને સેવે છે અને બહુ આરંભ તથા પરિગ્રહમાં આસક્ત રહે છે, તથા બહુ ક્રોધી, પ્રચુર માની, અતિ કપટી, મહા કઠેર ભારી, પાપી, ચુગલીખેર, કૃપણ, દેવશાસ્ત્રગુરૂનો નિંદક, અધમ, દુર્મુદ્ધિ, કૃતની, શેક અને દુઃખ કરવાવાળે જવ, એ સઘળા મરીને નર્કમાં પડે છે અને ત્યાં છેદન, ભેદન, તાડન, માન અને સૂળીરહણ એવાં પાંચ પ્રકારના તથા. અનેક પ્રકારનાં દુઃખોને સહન કરે છે ત્યાંથી નીકળીને અનેક ભેદરૂપ તિર્યંચ યોનિયોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ ગર્ભમાં દુઃખ ભોગવે છે તથા સમૂઈન થઈને છેદનાદિકનું દુ:ખ સહે છે. 1. પૂર્વોકત પાપકર્મોના ઉદયથી નની અસહ્ય વેદના ભોગવીને પછી અનેક પ્રકારે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં નિગોદ રાશી, સ્થાવર કાય, તથા ત્રસપર્યાય ધારણ કરી જીહાલંપટી મનુધ્ય તથા તિર્યંચનો ભક્ષ્ય બને છે, અથવા પરસ્પર એક બીજાનું ભક્ષણ કરતા શીત, ઉ, ભૂખ, તરસ, રોગ, બંધન વગેરે દુઃખ ભોગવે છે. એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે તિર્યંચ યોનિયોમાં આ જીવ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, પછી ત્યાંથી નીકળીને લબ્ધ અપર્યાપ્ત મનુષ્ય થાય છે. તે પછી ગર્ભમાં પણ ઉત્પન્ન થાય, તો ત્યાં પણ એકઠા હાથપગ વગેરે અંગ તથા આંગળી વગેરે પ્રત્યંગ હાઈ દુઃખને સહન કરે છે, પછી યોનિમાંથી નિકળી તીવ્ર દુઃખમાં પડે છે. - ગર્ભમાંથી નીકળ્યા પછી બાલ્યાવસ્થામાં જ જે માતપિતાનું ભરણું થઈ જાય, તો બીજા પુના જુઠણથી વૃદ્ધિગત થતા ભીખારી કંઈને કાળ વ્યતિત કરે છે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy