SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલયસુંદરી 58 શેધ કરવા ગયા છે પણ હજુ કેમ આશાજનક સમાચાર ન લાવ્યા ?" નૈમિત્તિઓ કંઈ જવાબ આપે ત્યાં રાજાના માણસે. વધામણી લઈને આવ્યા “રાજન! એક ભવ્ય સ્વંભ પૂર્વ દિશાના દ્વાર પાસેથી મળી આવ્યું છે.” તેને પૂર્વ પ્રતે લીના દ્વારે મંડપમાં મુકાવ્યું છે.” રાજા રાજી થઈ ગયા અને નૈમિત્તકને લઈ તે થંભ જોવા ઉપડયો. ત્યાં મંડપમાં આવી ભવ્ય સ્થંભ જોતાં તે મને મન શેત્રદેવીને ધન્યવાદ આપવા લાગ્યા. એવામાં લેકે તે સ્થંભ ઉપર હાથ ફેરવવા લાગ્યા. તેને અટકાવી નૈમિત્તિકે કહ્યું, “રાજન ! આ સ્થંભને કેઈએ હાથ લગાડે નહિ નહિ તે કુળદેવી કે પાયમાન થશે, વળી કાલે એનું મંત્રવિધિપૂવર્ક પૂજન કરવું પડશે. એ માટે કુંકુમ-ધૂપ-દીપ અક્ષત નાડાછડી વિગેરે સામગ્રી જોઈશે. અને પૂજન ચાલે તે. દરમ્યાન નૃત્યગાન થવા જોઈશે.” રાજાએ તે સર્વ કબૂલ કર્યું. દિવસ જતાં વાર લાગે છે? અને સ્વયંવરને પ્રાતઃકાળ થયે. એક બાજુ રાજકુમારી સ્વયંવર મંડપમાં એગ્ય સ્થાને આવીને બેસી રહ્યા હતા તા. બીજી બાજુ નૈમિત્તિક સ્વયંવર મંડપમાં આદરપૂર્વક તે થંભ યોગ્ય સ્થાને ગોઠવવી, તેની સામે છ હાથની શીલા મુકાવી તેને બે હાથ જમીનમાં દટાવી. તેના પશ્ચિમ ભાગે વાસાર ધનુષ્ય મુકાવી સ્થંભની પૂજન વિધિ કરી રહ્યો હતે. હુંકારને. જાપ ચાલી રહ્યો હતે. નારીઓ મંગલ ગીતગાન ગાઈ રહી હતી, કેટલાક નૃત્યકાર સ્થંભ આગળ નૃત્ય કરી રહ્યા હતા. આ બે પ્રહર દિવસ ચડેયે જ્ઞાનીના કથન મૂજબ રાજાની આદેશથી બંદિજને રાજસભામાં જાહેર કર્યું, “હે રાજપુત્રી આમંત્રિત ! સાવધાન થઈ સાંભળે! આ વાસાર ધનુષ્યને P.P. Ac. Gunratnasudiuild Sun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy