SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલય સુંદરી મહાબલે કૃત્રિમ હાસ્ય કરતાં કહ્યું, “સાચી વાત છે તારી, ઓરમાન માતા પુત્રી ઉપર દ્વેષ રાખે જ, પણ એ વેરનું કારણ શું? બધી વાત મને વિગતથી કહે, તારી વાતમાં મને રસ પડે છે. તારી વાણી પણ મધુર છે એમાં મને મન કુલાઈ ગઈ. સ્ત્રીને સ્વ પ્રશંસા ઘણું ગમે છે. એ વાત કુમાર જાણતો હતો. તેમાં બાજુની એક શીલા પર બેસી વાત કરવા લાગી. “જુઓ કુમાર! કનકાવતી અને હું અમે બન્ને મલયસુંદરીના છિદ્રો શોધતા હતા. કારણ કે એ રાજકન્યાએ કનકવતીને જાડી પાડી હતી. એવામાં કઈ એક અદશ્ય દેવ એકદા કનકવતીના ગળામાં લક્ષ્મીપૂજ હાર નાખી ચાલતો થયો.” કુમારે મનેમન વિચાર્યું. એ દેવ આ હાર કનકવતીના ગળામાં નાખીને ગયે. ઠીક હારની પણ ભાળ મળી. પછી હાર મળ્યાથી કનકવતી રાજી થઈ ગઈ. આજુ બાજુ તપાસ કરી કેઈ મનુષ્ય ન હતું. નકકી કઈ દેવે જ અમને આપ્યું. પછી તેના ઉપરથી કનકવતીએ યોજના મનમાં ઘડી નાખી. હાર પેટીમાં મુકી દીધું અને મને બધી વાત કરી અને મેં સંમતિ આપી. તે રાજાના મહેલે ગઈ અને રાજા વીરધવલને એકાંતમાં કહ્યું કે “તમારી કન્યા મલયાએ હાર મહાબલને મોકલ્યા છે. અને સ્વયંવરના બહાને તે અહીં આવશે અને આ રાજ્ય ગ્રહણ કરીને મલયા સાથે લગ્ન કરશે,-એવી ચોક્કસ બાતમી મારી પાસે છે–તમે તપાસ કરે–આ સમયે બેટ પડે તે મારું શરીર ઉડાવી દેજે. તમે મલયાને બોલાવી પૂછે તેની પાસે લક્ષ્મીપૂજહાર હતું તે કયાં ગ? રાજાના મનમાં બરાબર ઝેર રેડી તે આવતી રહી. રાજાએ બધી વાત P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy