SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~~~~~~~ કાર્યની સિદ્ધિ ગુણવર્મા પણ આ ઉપાય સાંભળી રાજી થયો. અને એ એક ગ જવા તૈયાર થયા. વિજયચંદ્ર પણ જરૂરી સાધનો લઈ તેની સાથે થયે. બન્ને જણા અનુક્રમે તે દેવતાઈ કુપિકા પાસે આવ્યા. અનુક્રમે વિકસ્વર થયેલી તે કુપિકામાં વિજય-ચંદ્રની મદદથી ગુણવર્મા મંચિકામાં નીચે ઉતર્યો. અને નિર્ભય પણે તે જલ વાસણમાં ભરી લઈ દોર હલાવ્ય, તત્કાલ વિજ્યચંદ્ર તેને ઉપર ખેંચી લીધે. આ બન્નેના સાહસથી ખુશ થઈ તત્કાલ રાક્ષસ પ્રગટ થયે. અને અશ્વનું રૂપ ધરી છે . “નરવીરો! આ અશ્વ પર બેસી જાવ, તમેને ચંદ્રાવતી તુરત પહોંચાડી દઉં. તે અશ્વ પર બેસીને બન્ને જણ પવન વેગે ચંદ્રાવતી આવ્યા. અને ગુણવર્માએ પોતાના બન્ને વડીલે પર પાણી છાંટતાં તે તત્કાલ બંધન મુક્ત બની ગયા. અને પુત્રને ભેટી પડ્યા. દરેક જણ આવા ગુણવાન પુત્રની પ્રશંસા કરવા લાગ્યા. પોતાના ઉપકારી મિત્ર ગુણવમને વિજયચંદ્ર પ્રધાન મુદ્રા આપવા લાગ્યો પણ નિસ્પૃહ એવા તેણે તે ન સ્વીકારી. ઉલટું એને રસ વેધક ઘડે પાછો આવે. તે રસ ઘડે વિજયચંદ્ર પાછો ગુણવર્માને ભેટ આપ્યું અને પિતાના મિત્ર ની ઘણું નેહથી વિદાય લઈને પિતાના રાજ્યમાં પહોંચે. એ ગુણવમાં આજે સાંજે મારી પાસે (વરધવલરાજા પાસે) એ રસને ઘડે લઈ આવ્યા અને બધી વાત કરી. એ ઘડે મને ભેટ મુકી ચાલ્યા ગયા. બસ એજ મારી ચિંતાનું કારણ છે” વરધવલે કહ્યું. એમાં આપને તે રસ ઘડાનો લાભ થયે એમાં આપને શી ચિંતા થઈ નાથ !?" ચંપકમાલાએ પૂછ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy