SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 10 સતી મલય સુંદરી સમયે ગેધાના પ્રયોગથી એ મારા ખંડમાં આવ્યું. અવાજ થવાથી હું તુરત જાગી ગઈ. અવ્યવસ્થા વસ્ત્રને સંકેરવા લાગી. તે સમયે તે મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યા. દરેક જાતના પ્રભને આપવા લાગ્યો. વિનંતી કાલકુદી કરવા લાગ્યો. આવા તપસ્વીને જન્મ એળે ન જાય એમ સમજી મેં પણ તેને શીલનું મહત્ત્વ સમજાવ્યું. અને એ માટે નાહક નારકીના દુઃખ ન વેઠવા કહ્યું. સ્ત્રીનું શરીર તે ગંદકીને ઘડે છે માટે મેહ છોડવા તેને ઘણું સમજાવ્યું પણ તે ન સમજ્યો. આખર તે બળાત્કારની હદે જવા તૈયાર થયે. તે જ સમયે તમારા મોટાભાઈ જે આ બધું જ બારીમાંથી છુપાવેશે સાંભળતા હતા. તે દોડી આવ્યા અને તે નરાધમને કેાધથી પિતાના સૈનિક, પાસે બંધાવી દીધું. પ્રભાતે મુખપર મેશ ચેપડાવી આખા નગરમાં ફેરવ્યો અને લેકે પણ તેની નિંદા-મશ્કરી કરવા લાગ્યા. અને નગરમાં ફેરવી તેને ગરદન મરાવ્યા. મર્યા બાદ કંઈક તપસ્યાના પ્રભાવથી તે રાક્ષસ યોનિમાં ઉત્પન્ન થયે. પુર્વ ભવના અપમાનને યાદ કરી ઉર ધારણ કરીને તે રાજા પાસે આવ્યું, અને બધું વૈર સંભારી રાજાને મારી નાખે. અને પ્રજાને પણ સંહાર કરવા લાગ્યો. લેકે તેના ભયથી નાસવા લાગ્યા. હું પણ ભયથી નાસવા જતી હતી પણ તેણે મને પકડી લીધી અને કહ્યું, “હે ભદ્રે ! તારા માટે તે આ સર્વ યત્ન છે. માટે તું નાશીસ તે પણ અહીં પાછી લાવીશ. માટે તારે આ રાજમંદિર છડી ક્યાંય ન જવું. હું તારું રક્ષણ કરીશ, આ પ્રમાણે એ રાક્ષસે મને અહીં રેકી છે. નગર નિર્જન બન્યું છે. રાક્ષસ દિવસે બહાર કેઈ સ્થળે જાય છે. રાત્રે પાછા આવીને સુઈ જાય છે.” P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy