SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલયસુંદરી બલસાર સાર્થવાહને કેદ કર્યો છે તે અમારો મિત્ર છે. અમારા રાજ્યમાં અવારનવાર વેપાર કાજે આવે છે. અમારે સ્વામી એને પુત્ર, મિત્ર કે બંધુ માને છે. અને તે બન્ને રાજાએ ખાસ કહ્યું છે કે તેને છોડી મૂકે કારણ કે તેની પાછળ આ બને રાજાનું પીઠબળ છે. અપરાધ હોય તે પણ જાતે કરે, કારણ કે મેટાના પુત્રની સામાન્ય ભૂલે નજરે જોવાતી નથી. સિંહના બચ્ચાની કંઈક ભૂલ થાય તો પણ સિંહની બીકે તે જતી કરવી પડે છે. નહિ તે સિંહ પંજે ઊંચે કરશે ત્યારે તમારી દશા ચંચલ મૃગલા જેવી થશે. એટલે મોટા સાથે બાથ ભીડવી એ ઈષ્ટ નથી. તમારી પાસે જે લશ્કર છે તેના કરતાં તેમની પાસે ચાર ગણું લશ્કર છે માટે આ એક સાર્થવાહને છેડી મૂકી ચિરકાળ પર્યત તમે રાજ્ય કરે....ખીલી માટે તમારે મહેલ જમીનદોસ્ત નહિ કરે. એ અમારા રાજાઓને પૈગામ છે... મહાબલ દૂતનાં મીઠાં છતાં ગર્વિષ્ટ વચન સાંભળી મનમાં આનંદ પામ્યું કે પિતા અને સસરા સન્મુખ આવ્યા છે. ઈષ્ટજનને મેળાપ કોને પ્રિયકર નથી! પણ તેણે વિચાર્યું કે સંગ્રામ કર્યા સિવાય પિતા સન્મુખ જઈને કે સસરા સન્મુખ જઈને કહેવું કે હું તમારો પુત્ર છું. જમાઈ છું. એમ દીનતા કરવી ઈષ્ટ નથી. દીનતા તે માનભંગ કરનાર છે. માટે જરા મારું પરાક્રમ, તલવારની સુખડી એમને ચખાડીશ. પછી જ જાહેર કરીશ...આમ વિચારી તે કૃત્રિમ કેપ કરી દૂતને કહેવા લાગ્યા, “અરે વાચાલ દૂત ! તારા રાજાએ અને તે સિંહની કેશવાળી ખેંચવાની આ શી રમત આદરી છે! તારા રાજા પાસે સૈન્ય છે અને અમે શું સૈન્યબળ P.P. Ac. Gunratnasuri Nue.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy