SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલયસુંદરી 142 તે અને તે ઉત્કંઠાથી તેની સન્મુખ જોઈ રહ્યો. રાજાએ ફિરમાવ્યું. “મારું મસ્તક નિરંતર દખ્યા કરે છે. તેની પીડા શાંત થતી નથી. એક વૈદ્ય કહ્યું છે કે જે કંઈ ઉત્તમ લક્ષણવાન પુરુષના શરીરની રાખ મળે અને તે મસ્તક પર ઘસવામાં આવે તો તુરત મટી જાય. આપના જેવા લક્ષણવંત બીજું કેણ છે? તો આપશ્રી આપના શરીરની રાખ લાવી આપે તો મારા મસ્તકની પીડા શાંત થાય. પછી જરૂર તમને તમારી સ્ત્રી મળે.” - આ સાંભળી સમગ્ર પ્રજાજને મનોમન ગણગણવા લાગ્યા, પિતે મરી જાય પછી સ્ત્રીને શું કરવાની ! આ તો રાજાને દુષ્ટ આશય છે....... મહાબલ પણ વિચારમાં પડે...ખરેખર આ રાજ -મલયસુંદરીમાં આસક્ત થયે છે. મને મારવા જ આ યુક્તિ છે. આ કાર્ય મૃત્યુ પામ્યા સિવાય થાય જ નહિ. અશકય કાર્ય છે. છતાં મનમાં એક યુક્તિનો ઉદ્ગમ થતાં તે બા રાજન ! અહે! આ ઔષધ છે? જરૂર તમને કાલ સવાર હું રાખ લાવી દઈશ. આજે સાંજે મને ચિતામાં બાળજે...પછી -સવારે હું રાખ આપું એટલે મારી સ્ત્રી મને પાછી મેંપજો. અને તમે સુખે સુખે રાજ્ય કરજો......” ' ' . દુષ્ટ પરિણામવાળે રાજા બોલી ઊઠ....જરૂર પછી તમને તમારી સ્ત્રી મળી જશે જ..મડાબલે રાજાને કહેવડાવ્યું : ઉત્તર દિશાના સ્મશાનમાં લાકડાને ઢગલે કરાવે. હું સાંજ ચિતા પર ચડી બળી મરવાને છું. - રાજાએ તુરત જ સ્મશાન ભૂમિ તરફ ગાડું ભરીને લાક મેકલવાને બંદેબસ્ત કરાવ્યું. તેના આનંદને પાર ન રહે પર ન રહ્યો. P.P. Ac. Gunratnasuri Mi6.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy