SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવતની કસોટી 115 ભજન વિગેરેનો પ્રબંધ કરી, તેની સેવામાં એક દાસીને પી. એટલું જ નહિ તે સ્ત્રીને સાંત્વના પમાડવા-વિશ્વાસમાં લેવા માટે તેણે સુંદર ભેજન-વસ્ત્ર અને અલંકારો પણ મોકલવા લાગે. અને એક પણ વચન તેને અપ્રીતિકર લાગે તેવું બોલતો ન હતે. અખંડ પ્રમાણે સાર્થવાહ આગળ વધી રહ્યો હતે. એકદા તેણે મલયસુંદરીને પૂછ્યું : “હે શુભે! તમારું નામ શું ?" મલયસુંદરીએ કહ્યું, “મારૂં નામ મલયસુંદરી છે” આથી તે બલસારને મનમાં નક્કી થયું કે આ સ્ત્રી ભલે કુલ વિગેરે છુપાવે પણ નામ પરથી જ તે ઉચ્ચ કુટુંબની છે એ પ્રતીતિ થાય છે. અખંડ પ્રયાણે તેઓ ભારતના શ્રેષ્ઠ બંદર સાગરતિલક નગરમાં આવી પહોંચ્યા. સાર્થવાહે પિતાની હવેલીમાં એક ગુપ્ત ખંડમાં મલયસુંદરીને રાખી અને વિશ્વાસુ દાસી સિવાય આ વાતની બીજા કોઈને પણ ખબર પડવા ન દીધી. એકદા તે પ્રભાત કાલે આવ્યું. અને મલયસુંદરીને સ્વસ્થ જેઈમધુર વચને સુખશાંતિ પૂછી બેલ્યા, “હે સુંદરી! મારે વિશાળ વેપાર છે. આ નગરને હું કેટયાધિપતિ શ્રીમંત વેપારી છું. જે મને સ્વામી તરીકે કબૂલ કરે તે આ અખૂટ વૈભવની તને સ્વામીની બનાવીશ. અને હું તારા દાસ કે સેવક તરીકે જ રહીશ. વળી હું નિઃસંતાન છું. તારો પુત્ર એ મારે જ પુત્ર ગણીશ” અને આમ તે વિષયની યાચના–પ્રાર્થના કરવા લાગ્યા. મલયસુંદરી આ પ્રસંગે ઉપસ્થિત થશે એ જાણતી જ હતી. તે બેલી, “હે સજજન વેપારી! શાસમાં પરસ્ત્રીગમન એ નરકનું દ્વાર છે. મહાપાપ છે. અને સતી સ્ત્રીના શીલનું ખંડન કરવું એવું ભયંકર પાપ કરવું તમને ઉચિત નથી. સૂર્ય P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy