SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલમાં પુત્રજન્મ ભવમાં કોઈ ચીકણા કર્મ બાંધતાં વિચાર ન કર્યો તે આ ભવમાં તારે સમભાવે સહન કરવા જ જોઈએ. માટે સ્વસ્થ થા. મનોબળ દઢ કર ! એકધારું દુઃખ પણ ટકતું નથી. તારા પાપકર્મો બાકી હશે તે તે ભગવાઈ જશે અને શુભ કર્મને ઉદય થશે તે સેનાને સૂરજ ઉગશેજ. માટે ભાગ્ય પર એ વાત છોડી તું સંક૯પ વિક૯પ તજી સ્વસ્થ થા! અને અચાનક તેને મહાબલને કલેક યાદ આવ્યો. તે કલેકે તેનામાં એક ભવ્ય શાંતિ-સમતાને સંચાર કર્યો. તે બેલી ચિત્તે દિધિસ્તી.............જાણે મંત્રાક્ષર. “હે ઉત્સુક મન ઈચ્છત કાજે બહુ ઉપાયે ચિંતવે પણ નવ થાયે હૃદય વિચાર્યું, ધાર્યું વિધિનું સંભવે.” આ કલેકે એના પ્રાણમાં સ્વસ્થતાને એક શાંત દીપ પ્રગટાવ્યું. તે પૂર્વે તે ઘણું રડી હતી. તેથી એના પેટમાં અચાનક પીડા ઉત્પન્ન થઈ. દરેક સ્ત્રીને પ્રસુતિની પીડા વેઠવીજ પડે. અને મલયસુંદરીએ ડીવારમાં પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ તેણે પુત્રને જન્મ આપે. જે રાજરાણીને દોમ દોમ સાહ્યબી હતી. આવા પ્રસંગે તે દાસદાસીઓની, સ્વજનની આવનજાવન હોય. જેને ત્યાં પુત્ર જન્મની વધામણી દેનાર ન્યાલ થઈ જાય એવો ઠાઠ હોય. જેને રેશમી શૈયામાં સુવર્ણના પલંગ પર અનેક દાયણની સંભાળપૂર્વક પુત્રજન્મ થાય તેને આજે એક ભયંકર અર યમાં એક પામર માનવની જેમ, અરે પશુની જેમ, પુત્રની કે માતાની સાર સંભાળ લેનાર કોઈ નહિ, એ રીતે પુત્રજન્મ થયો. એ સમયે આ રાજકન્યાને કેવું દુઃખ થયું હશે ! કેટલું ઓછું આવ્યું હશે! તે તે સંવેદનશીલ જ્ઞાની જ જાણી શકે. રાયને રંક અને રંકને રાય બનાવનાર કેણ? P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy