SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શિરોમણિ “કૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થશે, તેની ગુણવતી સ્ત્રી રૂકિમણીના ઉદરથી “મદન” નામે એક બળવાન પુત્ર થશે, તે વિરમણિ અને પુણ્યવાન્ મદન કુમાર આ મણિપુરમાં આવી, આ. વિધાધિષ્ઠાયકને સ્વામી થશે. બળવાન, પરાક્રમી, ધીર, ગંભીર, રૂપવાન અને ગુણી એવા મદનને પ્રાપ્ત થઈ એ વિધા કૃતાર્થ થશે. પ્રભુનાં આવાં વચન સાંભળી હિરણે મને કહ્યું, અધિષ્ઠાયક દેવ ! તમે તે મણિગેપુરમાં જઈને રહો, બળના ગર્વવાળા, એવા તારી સાથે જે યુદ્ધ કરવા તૈયાર થઈ તારે પરાભવ કરે, તે તારે સ્વામી થશે. મદન કુમાર આવે ત્યાં સુધી તમે તે સ્થળે રહેજે. - આ પ્રમાણે કહી હિરણ્ય રાજાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. મહાવ્રતી હિરણ્ય મુનિ અધ્યયન કરી, તપસ્યા કરી, કેવળ જ્ઞાન પામી, ઘાતિ કર્મનો ક્ષય કરી, નિર્વાણ પદને પ્રાપ્ત થયા. મદન કુમાર ! ત્યારથી હું તમારી રાહ જોઈ, તમારે માટે તંત્ર વિઘાનું રક્ષણ કરી, અહીં રહ્યા હતા. હે મહાભાગ આજે તમારે સમાગમ થયો. આ વિદ્યા મંત્ર ગ્રહ-- ણ કરો, તે સાથે નિધિ–કોશને પણ સ્વીકારો. અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036470
Book TitlePradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size175 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy