________________ : - 222 જેવી છે, તે ઉપર મૂઢ પુરૂષ શું જોઈ મેહ પામે છે? મારા અંતપુરમાં મનહર સ્ત્રીઓ શું નથી ? તથાપિ મેં પાપીએ આ પરસ્ત્રીની અભિલાષા કેમ કરી ? જેવું કર્મ કરે, તેવું ફળ મળે છે. જેવું બીજ વાવે, તેવું ફળ ઉગે છે. રૂપ વૈવનવાળી, પીન-પુષ્ટ અને ઉન્નત સ્તનવાળી અને મનને ચેરનાર ચતુરાઓ શું મારા ઘરમાં ન હતી, કે જે મેં મેહને વશ થઇ, આવું નિંઘ કર્મ કર્યું? ખરેખર મોહ નરકન નેતા અને સંસારનું કારણ છે. ધન, ધાન્ય, નારી, ચાવન, વિષય, બળ, બાંધવ, પુત્ર, મિત્ર અને જીવિત ચિરકાળ રહેવાનાં નથી. આ પ્રમાણે વૈરાગ્ય પામેલે રાજા ચિત્તમાં ચિંતવતો ભેગ સુખથી વિમુખ થઈ ગયો. પેલા ચંડકમોએ લાવેલા પુરૂષને છોડાવી પોતાના મંદિરમાં ગયો. ત્યાં કોઈ મુનીશ્વર વહારવા માટે આવી ચડ્યા. રાજા તે મુનિ નાયકને આવતા જોઈ, નીચે ઉતરી હર્ષથી સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, મુનિને આસનને વિનય કરી આગળ બેઠો. મુનિની ત્રિકર્ણ શુદ્ધિએ ભક્તિ કરી ચંદ્રપ્રભા સાથે મુનિને આનંદથી વંદના કરી. પછી રાજાએ હર્ષથી દાન . PP. Ac. Gunrapsuri M.S. Jun Gun Aaradhak Trust