SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ( 310) શ્રી પ્રભાવક ચરિત્ર. પછી રાત્રે કુંભારે તેને બહાર કહાડો એટલે તે દેશાંતર ચાલ્યો અને કોઈ બ્રાહ્મણ સાથે તે સ્તંભતીર્થપુર માં ગયો, ત્યાં શ્રી માલવંશનો સુચરિત્રશાળી અને મહાધનવાન એ ઉદયન નામે વ્યવહારી રહેતે હતો. તેની પાસે એક બ્રહ્મચારી છોકરો હતો તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાલને બધા સત્ય વૃત્તાંત નિવેદન કર્યો. એવામાં કુમારપાલે તેની પાસે કાંઈક ભાતું માગ્યું, ત્યારે વ્યવહારી કહેવા લાગ્યું કે--“જે રાજાને અભીષ્ટ ન હોય, તેની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી. માટે રાજપુરૂષ તને ન જુએ, તેટલામાં સત્વર દૂર ભાગી જા. હે બટુક! એને તુ આપણુ નગરની સીમા મૂકાવી દે. એ પ્રમાણે શ્રેષ્ઠીના વચનથી તે નિરાશા અને ભય પામ્ય, વળી એમ સાંભળવાથી કુમારપાલ પણ રાત્રે તે નગરમાં દાખલ થયો. તે વખતે ચાર લાંઘણું થતાં સુધાથી તેની કુક્ષિ ઉંડી ઉતરી ગઈ હતી. આ અવસરે ચારિત્રના યોગે ઉત્પન્ન થયેલ લબ્ધિઓથી ગૌતમ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં ચાતુમાસ રહ્યા હતા. તે આચાર્ય મહારાજ વૃષ્ટિથી મેઘ જેમ ભૂમિને શીતલ કરે, તેમ વ્યાખ્યાનલાલાથી ભવ્યજનોના હૃદયને શાંત–શીતલ કરતા હતા, એવામાં કુમારપાલ અચાનક ત્યાં આવી ચડ. એટલે વિચક્ષણ ગુરૂએ તેને જો તથા આકૃતિ અને લક્ષ થી ઓળખી લીધો. પછી આશ્વાસન આપતાં તેને સારા આસન પર બેસારીને તેમણે જણાવ્યું કે- “હે રાજપુત્ર! શાંત થા. આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ.’ રાજકુમારે કહ્યું--આપ જેવા રોગી પુરૂષની કૃપાથી એ બધું કેમ અપ્રાપ્ય ન થાય ? " પછી આચાર્યો શ્રાવક પાસેથી તેને બત્રીશ દ્રમ્મ( રૂપીઆ) અપાવીને પુનઃ જણાવ્યું કે-“હે ભદ્ર! અમારું એક વચન તું બરાબર દઢતા પૂર્વક સાંભળઆજથી તારી પાસે દારિદ્રય આવનાર નથી, પણ ભેજન, આચ્છાદનાદિ વ્યવહારથી તું અત્યારે માન પામી શક્યો નથી.” ત્યારે કુમારપાલ બે –“હે ભગવન ! જે એમ થાય અને મને રાજ્ય મળે, તો પછી જોઈએ શું? અત્યારે હું વધારે શું કહું?” એમ કહી મેઘથી આચ્છાદિત પૂર્ણ ચંદ્રની જેમ તે ગુઢ રાજા દેશાંતર ચાલ્યો ગયો. ત્યાં કોઈવાર કાપાલિકા દ્રત આચરતાં, કેહવાર કલવ્રત આચરતાં અને કઈવાર કયાં કૃત્રિમ કે વિચિત્ર પંથે ચાલતાં કૃત્રિમકમથી તેણે સાત વર્ષ વ્યતીત ક્ય, છતાં ગુરૂના વચનથી સંકટમાં પણ તે હદયમાં દઢતા ધારણ કરી રહ્યો હતો. ભૂપાલદેવી તેની સ્ત્રી સર્વ અવસ્થામાં છાયાની જેમ સદા તેની પાછળ પાછળ અનુસરતી હતી, કોઈવાર તે પતિના પાશ્વ ભાગને મૂકતી ન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy