SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ - કે, '' . . . . . . . . શ્રી હેમચંદસરિ–ચરિત્ર (ર ) - પછી એકદા માલવદેશને જીતીને સિદ્ધરાજ પોતાની રાજધાનીમાં આવ્યું ત્યારે બધા દર્શનીઓએ તેને આશિષ આપી, એટલે અનેક કળાના ભંડાર એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં અવ્યગ્રમતિથી, અત્યંત શ્રવણીય કાવ્યથી આશિષ આપતાં બેલ્યા કે—હે કામધેનુ! તું તારા ગોમય-રસથી ભૂમિને લીંપી કહાડ, હે રત્નાકર ! તું મેતીએથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્રમા ! તું પૂર્ણકુંભ બની જા, હે દિગજે ! તમે પોતાના કર–સુંઢ સીધા કરી કલપવૃક્ષના પત્રો લઈને તરણે બનાવો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે.’ એ પ્રમાણે પોતાના ચારિત્રની જેમ વ્યાખ્યાથી વિભૂષિત તે લૈક સાંભળવાથી સંતુષ્ટ થયેલ સિદ્ધરાજ તેમને વારંવાર પિતાના રાજભવનમાં બેલાવવા લાગ્યા. એકદા અવંતીના ભંડારમાં રહેલાં પુસ્તકે ત્યાંના નિયુક્ત પુરૂએ બતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરૂને પૂછ્યું કે આ શું છે?” ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે–એ ભેજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનમાં શિરોમણિ એ માલવપતિએ શબ્દ શાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ–ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વપ્ન તથા સામુહિક શાસ્ત્રો પણ અહીં છે, અને નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્નચુડામણિ ગ્રંથ છે, વળી મેઘમાલા અને અર્થશાસ્ત્ર પણ છે, અને એ બધા ગ્રંથે તે રાજાએ બનાવેલ છે.” . એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલ્યો કે આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી? સમસ્ત ગુર્જર દેશમાં શું કઈ વિદ્વાન નથી?” ત્યારે બધા વિદ્વાને મળીને શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા. એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક પ્રભુને વિનંતિ કરી કે–“હે ભગવન ! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને તમે અમારા મને રથ પૂરા કરે. હે મહર્ષિ !તમારા વિના એ મનોરથ પૂરવાને કોણ સમર્થ છે? વળી આ સમયમાં પ્રવર્તમાન થયેલ એ વ્યાકરણ સંક્ષિપ્ત છે તેમ તેમાં શબ્દોની નિષ્પત્તિ પણ તેવી નથી, તથા પાણિનિનું વ્યાકરણ છે, તે વેદના અંગરૂપ મનાય છે, તેથી બ્રાહ્મણ ગર્વ લાવીને એ વ્યાકરણપર ઈર્ષ્યા કરે છે. કદાચ તે વિ નારાજ થાય, તો તેથી શું? માટે હે મુનીશ્વર ! વિશ્વજનના ઉપકાર માટે એક નવું વ્યાકરણ બનાવો કે જેથી મને યશ મળે અને તમને કીર્તિ તથા પુણ્ય પ્રાપ્ત થાય.” એમ સાંભળીને બુદ્ધિનિધાન શ્રીહમચંદ્રસુરિ બોલ્યા કે—“ કાર્યોમાં અમને જે પ્રેરણા કરવી, તે તમારે કેવળ યાદ કરાવવા માટે જ છે, પરંતુ વ્યાકરણના આઠ પુસ્તકો છે, તે શ્રીભારતીદેવીના ભંડારમાં છે, તે તમારા માણસો મોકલીને તે કાશ્મીર દેશથકી મંગાવો, કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય.” ગુરૂનું એ વચન સાંભળતાં રાજાએ તરતજ પિતાના પ્રધાન પુરૂષને -- - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy