SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ (20) વીરસૂરિ–અવંધ. છo == શ્રી વીરાચાર્ય તમારું કલ્યાણ કરે કે જેની પાસે અભ્યાસ કરતા સંતજનો ક્રોધાદિ શત્રુઓનો નાશ કરવાને સમર્થ થયા છે. વળી જેમના હસ્તસ્પર્શમાત્રથી સરસ્વતી કન્યાદિકમાં સંક્રમ કરીને બોલતી હતી. તે શ્રીવીરનું વર્ણન શી રીતે થઈ શકે ? તેમનું ચરિત્ર બહુશ્રુતના મુખથી કંઈક સાંભળીને હું વર્ણવીશ. કારણ કે બાળક શું પિતાના અનુમાનથી બોલતા નથી. શ્રી ચંદ્ર મહાગચ્છરૂપ સાગરમાં રત્નશૈલ સમાન પંડિલ એવા બીજા નામથી પ્રખ્યાત થયેલ ગછ છે, તેમાં રત્નમાન શ્રી ભાવેદેવ નામે સૂરિરત્ન હતા કે જે પાત્રને વિષે નેહાદિથી રહિત છતાં લેકહિતમાં સદા અનુરક્ત હતા. તેમના માટે શ્રીવિજયસિંહ નામે સૂરિ થયા કે જે પ્રતિવાદીરૂપ ગજઘટાને હઠાવવાને સમર્થ હતા. તેમના પટ્ટરૂપ માનસ સરોવરમાં હંસ સમાન શ્રીવીરસૂરિ થયા કે જે ગતિ અને શબ્દથી અસાધારણ શોભાને ધારણ કરતા હતા. તેમના ગુણેથી આકર્ષાઈને સિદ્ધરાજ રાજાએ તેમને પોતાના મિત્ર બનાવ્યા હતા. કારણ કે નિર્મળ સ્વભાવના કુમુદને રાજા (ચંદ્રમા) જરૂર પ્રમોદ પમાડે છે. એકદા સભામાં બેઠેલ રાજાએ હાસ્ય કરતાં પોતાના મિત્ર વરસૂરિને કહ્યું કે –“રાજાના આશયથી જ તમારૂં તેજ વિકસિત લાગે છે.” ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે –“ભાગ્યને લીધે જ પોતાની પ્રજ્ઞા ઉદયમાન હોય છે, અન્યથકી પ્રતિષ્ઠા થતી નથી. એક શ્વાન રાજાથી આદર પામતાં શું તે સિંહ સમાન ઓજસ્વી બની શકશે?” છે એટલે રાજા બોલ્યા–“મારી સભા મૂકીને તમે વિદેશમાં જાઓ, તો એક અનાથ ભિક્ષુકના જેવા બાહ્ય ભિક્ષાચર દેખાઓ.’ . આચાર્ય બાલ્યા–“આટલા દિવસ હે રાજન ! માત્ર તારા પ્રેમના બંધનને લીધેજ અમે અહીં રહ્યા. હવે અત્યારેજ તારી અનુમતિ લઈને અમે જઈશું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy