SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ - - ( 10 ) . " શ્રી પ્રભાવક ચરિત્ર. કવિએ કહ્યું કે–આ તો માત્ર છે? શ્રી શાંતિસૂરિના હાથનો પ્રભાવ ભારે દેખાય છે. પછી તેણે મેઘ સમાન પ્રખર ધ્વનિથી ત્યાં સર્વજ્ઞ અને જીવની સ્થાપનાને ઉપન્યાસ રચ્યો. તેવામાં ગુરૂમહારાજ આવીને સિંહાસન પર બિરાજમાન થયા અને તેમણે એક પ્રાથમિક પાઠને ઉચિત એવા શિષ્યને કહ્યું કે “હે વત્સ! અત્યારે આ થાંભલાના આધારે બેસીને તેં શું કર્યું. ?" Sછે . ત્યારે તે બોલ્યા કે–આ કવિએ જે કહ્યું, તે મેં બધું ધારી લીધું છે.” આથી ગુરૂએ કહ્યું—“તે તે કહી બતાવ.” એમ ગુરૂના કહેવાથી કદાગ્રહનો સંહાર કરવામાં સમર્થ એવા તે શિષ્ય સ્પષ્ટ અને ધીર વાણથી તે બધું કહી સંભળાવ્યું જે સાંભળતાં ધનપાલ કવિ અત્યંત આશ્ચર્ય પામીને કહેવા લાગ્યો-“આબાલર્ષિરૂપે શું સાક્ષાત ભારતી-સરસ્વતી છે ? માટે હે ભગવન્ ! બુદ્ધિના નિધાન તથા ભારે સદેહરૂપ શેલને ભેદવામાં જ સમાન એવા આ સાધુને જ મારી સાથે મોકલે.” * * : એટલે આચાર્ય બાલ્યા–પરશાસ્ત્રનો અભ્યાસ કરનાર એ શિષ્યને અત્યારે કિલષ્ટ પ્રમાણુશાસ્ત્રો ભણવાને સમય છે, માટે એના શાસ્ત્રસમુદ્રરૂપ પાત્રને વાદીઓ કલેકલિત કરી નાખે, તેથી એને અભ્યાસથી રહિત ન કરે, એવી અમારી ઈચ્છા છે.” . . ત્યારે સિદ્ધસારસ્વત તે કવીશ્વર કહેવા લાગ્યું કે –“હે ભગવન ! આપ આપના ચરણ-કમળથી માલવદેશને અલંકૃત કરો.” એમ સાંભળતાં ગુરૂ બાલ્યા–“આ સંબંધમાં જે તમારે વધારે આગ્રહ હોય, તે પ્રધાન આચાર્યસહિત શ્રી સંઘની સદા અનુમતિ લેવાની જરૂર છે.” પછી શ્રી સંઘની અનુમતિથી મોટા પરિવારયુક્ત એવા ભીમરાજાના પ્રધાનો સહિત તેમણે અવંતિદેશ ભણું વિહાર કર્યો. ત્યાં માગે વિચરતાં રાત્રે સરસ્વતી દેવીએ ભારે પ્રસાદ લાવીને તેમને સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે-“ચતુરંગ સભા સમક્ષ તમે પિતાને હાથ ઉંચો કરશે, એટલે દર્શનનિષ્ણાત બધા વાદીઓ પરાજિત થશે.” પછી આગળ ચાલતાં શ્રીજરાજ ધારાનગરીથી હર્ષપૂર્વક પાંચ કેશ તેમની સન્મુખ આવ્યું. તે વખતે એક એક વાદીના વિજયમાં પ્રતિજ્ઞાથી પણ કરતાં તે બેલ્યો કે મારા વાદીઓને કેણ જીતી શકે તેમ છે? દરેક વાદીના જયમાં હું એક એક લક્ષ દ્રવ્ય આપીશ. મારે ગુજરાતના વેતાંબર ભિક્ષુનું બળ અવશ્ય જેવું છે.” પછી ત્યાં રાજસભામાં પિતપતાનો પક્ષ કરતા બધા દર્શનેના ચારાશી વાદોને આચાર્યો જીતી લીધા. સ્પષ્ટ વક્તા અને ન્યાયમાંજ એક બુદ્ધિ ધરાવનાર એવા સૂરિએ પ્રતિદિવસે એકએકને ઉંચે હાથ કરીને અનાયાસે જીતી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy