SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (100) શ્રી પ્રભાવક ચરિત્ર. વારના દિવસે હસ્ત નક્ષત્રમાં તેમને જન્મ થયો હતો. છ વર્ષે તેમણે વ્રત લીધું અને અગીયારમે વર્ષે તેઓ આચાર્યપદ પામ્યા, તેમજ પંચાણું વર્ષે તેમનું આયુષ્ય પૂર્ણ થયું એટલે વિક્રમ સંવત્ ૮૫મે વર્ષે ભાદરવા મહિનાની શુકલ અષ્ટમીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં આમ રાજાના ગુરૂ શ્રી બમ્પટ્ટિસૂરિએ સ્વર્ગગમન કર્યું. એવામાં ગુરૂના સ્વર્ગગમનની વાત સાંભળવામાં આવતાં આમ રાજાનો પત્ર ભેજકુમાર અત્યંત શેકથી પિતાના વદનકકમળને સંકુચિત કરતા તે વિલાપ કરવા લાગ્યું કે –“અહા ! હવે અવિવેકથી વિવેક છતા, સારસ્વત મંત્રનો લેપ થયે, નિરભિમાનતા છુપાઈ ગઈ અને જ્ઞાનને જલાંજલિ મળી.” એ પ્રમાણે ક્ષણભર વિલાપ કર્યા પછી ગુરૂભકિતથી પવિત્ર અને નિર્મળ આચારવાળા એવા ભેજકુમારે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. પિતાના પિતામહ (દાદા) ના વિયેગમાં તેના મિત્ર ગુરૂ થકી વૃદ્ધિ પામેલ, અને તે ગુરૂ પણ સ્વર્ગે જતાં અનાથની જેમ લેકમાં એકલે થઈ રહેલ તે એક ક્ષણ વાર પણ પૃથ્વીતલપર રહેવાને સમર્થ ન હતો. એટલે પિતામહના મિત્ર સૂરિની પાછળ જવાનેજ હવે તેણે યોગ્ય ધાર્યું ત્યાં પોતાના મોસાળના પ્રધાનોએ આપેલ શિખામણને અનાદર કરી જાણે લીલાવનમાં જતા હોય, તેમ ગુરૂની મરણભૂમિએ તે પહોંચે. એવામાં તેની માતાએ આવીને તેને ભુજદંડમાં પકડી લીધો, પછી અન્યાયને નિષેધ કરવા અને રાજ્યની કૃપાની ખાતર શિખામણ આપતાં માતા તેને કહેવા લાગી કે -" વત્સ! મારા શ્વશુર અને ગુરૂ બંને ચાલ્યા ગયા તેથી દ્રષી અને મહાપાપી એવો તારે પિતા નિર્ભય થઈને તારી પ્રજાને સતાવશે, માટે હે હૃદયને આનંદ પમાડનાર નંદન ! તું પ્રેમાળ અને દયાળુ છે, તે આ મારી પ્રાર્થનાને લક્ષ્યમાં લઈ આ મૃત્યુના સાહસ થકી વિરામ પામ.” એ પ્રમાણે માતાનું વચન અલંઘનીય સમજી આંખમાં આંસુ લાવતાં ભોજકુમારે ગુરૂની પાછળ ચિતામાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાખ્યું. પછી અસાધારણ શોકથી દેહકાંતિને પ્લાન બનાવતા ભેજકુમારે આચાર્ય મહારાજનું પિતામહની જેમ ઉર્ધ્વદેહિક કૃત્ય કર્યું. પછી એકદા પોતાના મામા સાથે આકસ્મિક દાવાનળ સમાન ભેજ, પિતાને શાંત કરવા માટે ચિંતા કાન્યકુજ નગરમાં ગમે ત્યાં નગરમાં દાખલ થઈ સત્વર રાજભવનમાં આવતાં તેણે દ્વાર પાસે ત્રણ બીજોરાં લઈ બેઠેલ એક માળીને જોયો. એટલે તેણે પિતાના સ્વામીને પુત્ર સમજીને તેને તે ફળ ભેટ કર્યા. તે ફળ લેતાં, કેને અટકાવતે તે રાજભવનની અંદર દાખલ થયે ત્યાં ઈર્ષ્યાપૂર્વક સિંહાસન પર બેઠેલ પોતાના પિતાને તેણે ત્રણ બીજેરાવતી હદયમાં મારીને યમધામમાં પહોંચાડી દીધું. એટલે પૂર્વે ચિંતવેલ પુત્રની હત્યાના પાપથી જાણે ભય પામ્યા હોય તેમ મર્મસ્થાને સખ્ત. વાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy