SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અપભકિરિ ચરિત્ર. (149) હતું, જેથી તે ગુરૂના માર્મિક વચન જાણવા માટે રાજાએ પ્રમાદપૂર્વક તેને પણ તૈયાર કર્યો.. પછી વ્યવસ્થિત દિવસે રાજા તથા મહાસભ્યો સાથે વર્તનકુંજર દેશના સરહદના પ્રદેશમાં આવી પહોંચે. એવામાં સુજ્ઞશિરોમણિ અને આતપત્ર (છત્ર) થી આકાશને આચ્છાદિત કરતે શ્રીમાન્ આમ રાજા પણ કાન્યકુબ્ધ થકી શ્રી બમ્પટ્ટિસૂરિ તથા પંડિતવર્ગ સાથે તે સ્થાને આવ્યા અને પોતાની સરહદમાં આવાસ દઈને ત્યાં રહ્યા. ; 2 : . . . . . . . * હવે જન્મથી કઈ વાર શસ્ત્ર જોયેલ ન હોવાથી તેમાં અશક્તિને લીધે મંદ આદરવાળા, તથા પૂર્વે ન જોયેલ વાગ્યુદ્ધ જેવાને માટે કુતૂહલવાળા એવા સિદ્ધ, વિદ્યાધરે અને દેવતાઓ પિતાની અપ્સરાઓ સાથે ઉતાવળથી તે વખતે સ્વર્ગની જેમ આકાશમાં આવવા લાગ્યા. એવામાં કેતુકથી મનને આકર્ષતા એવા બહુશ્રુત રાજસ સાથે વાદી અને પ્રતિવાદી ત્યાં આવી મળ્યા. એટલે બહુશ્રુત તથા સભ્ય યોગ્ય સ્થાને બેસતાં તે સભા જાણે ચિત્રમાં આળેખેલ હોય, તેમ નિશ્ચળ થઈ ગઈ. પછી સભ્યોની અનુમતિથી પિતપોતાના આગમને વિરોધ ન આવે તે પ્રમાણે તે બંનેએ પોતપોતાના રાજાને આશિષથી અભિનંદન આપ્યું, તેમાં પ્રથમ બોદ્ધાચાર્ય વાદ્ધનકુંજર, દ્વેષીઓની સભાને સંતાપ પમાડનાર આ પ્રમાણે આશીર્વાદ છે- " સૌનો ધર્મ પર વાયર જાય __ आदृतः साधयन् विश्वं क्षण क्षण विनश्वरम् .. // 1 // જુઓ, ક્ષણે ક્ષણે વિનાશ પામતા વિશ્વને સાધનાર એવા જે ધર્મનો આદર પૂર્વક મેં વાચંયમે-આચાર્યે સ્વીકાર કર્યો, તે દ્ધ ધર્મ તમને સુખ આપનાર થાઓ.” એટલે સુજ્ઞ શિરોમણિ શ્વેતાંબરાચાર્ય શ્રી બપ્પભદિએ પિતાના પક્ષના ભૂપાલને આશિષ આપતાં જણાવ્યું કે આ . “ન શતિ સેવન નિત્યાનન્દ પરથતા 12 દ્વારા વિનિતા મિથ્યા-વાિ ઈન્તમાનિન” I ?I , . નિત્ય આનંદના સ્થાનમાં રહેલા એવા શ્રી આરહંત તમને ઉત્તરોત્તર સુખ આપે કે જેની વાણીએ એકાંતમતના મિથ્યાવાદ જીતી લીધા છે.” '' ગુ એ પ્રમાણે બંનેના આશીર્વાદના શ્લેકે સાંભળતાં સભાસદો તેના પર વિચાર કરવા લાગ્યા–“વાદીઓએ આ સંગત ધર્મને સ્વીકાર કયો છે અને એની વાણુ માન્ય કરી છે. બુદ્ધાચાયે જગતને ક્ષણભંગુર કહી બતાવ્યું. સંગતના આ વચનથીજ અનુમાન થાય છે કે સરસ્વતી સત્યવાદિની છે. વળી આમ રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy