SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ('522). શ્રી પ્રભાવક ચરિત્ર. જીતી લીધું. તે જેણે વિદ્વાનેને જોયા નથી એ એ બાળક શું કરવાનું હતું. એ તે ઘરમાં ગર્જના કરનાર કુતરા સમાન પરાક્રમ રહિત છે. જે તેનામાં એવી કઈ શકિત હોય, તે તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઉભે રહે, એટલે હરિ ને વરૂની જેમ હું તેને પ્રાસ કરી જાઉં.” ગર્વરહિત તથા આંતર શત્રુના દ્વેષી એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કેઈ જૈન મુનિને મેં જીતી લીધે-એમ સ્વેચ્છાએ બોલવું, તે તો માત્ર આડંબર છે. અથવા તે તે ભલે ગમે તેવો છે, પણ દઢ શલ્ય સમાન તે પિતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેને ઉદ્ધાર કરવા જયશીલ એ હું તૈયાર છું. તે સજજન હોય કે મિત્ર હોય, પણ મારી આગળ ઉભું રહેશે, ત્યારે હું જાણું લઈશ. પિતાના ઘરમાં બેસીને તે લકે રાજાની પણ નિંદા કરે, તેથી શું? પણ રાજસભામાં પ્રાક્ષિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં જ પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.” એમ મધુસૂરિનું વચન સાંભળવામાં આવતાં બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તે વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ છે? અથવા તે તે ભલે ગમે તે છે, પણ મારે તે શત્રુપક્ષને પરાજય કરવો જ જોઈએ; નહિ તે વખત જતાં અ૫ ત્રણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.” એ પછી ક્રૂર હતી તે વાદી અને પ્રતિવાદી બંને રાજસભામાં આવ્યા. એટલે સભાસદોએ પૂર્વવાદ મહુસૂરિને આપ્યો, જેથી તે છ મહિના પર્યત નયચક મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અખલિત વચનથી બોલ્યા, પણ તે બૈદ્ધવાદી ધારી ન શકો, તેથી તે પોતાના સ્થાને ચાલ્યો ગયે, એટલે “અદ્વિતીય મલ્લ એવા મલ્લુસૂરિ જીત્યા” એમ સૌ કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહત્સવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યો. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂક્તા રાજાને ગુરૂએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યું. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરૂ મતવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે એ પ્રમાણે પોતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાનંદ થઈ ગયે અને શોકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયું. તેથી રાત્રે દી લઈને તે લખવા લાગ્યો. તેમાં પણ પક્ષ, હેતુઓ વિગેરે વિસ્મૃત થવાથી ભારે ભય અને લજાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય કુટી પડયું અને તે મરણ પામે. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત જે, એવામાં તેનું મરણ સાંભળતાં ભવાદ ગુરૂને શેક થયે કે “અહા ! એ વાદી મરણ પામ્યા કયા પ્રમાણુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy