SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (116) શ્રી પ્રભાવક ચરિત્ર. નવમે ભવે ગુણસેન તે સમરાદિત્ય થ અને અગ્નિશમ તે ગિરિસેન નામે માતંગ પુત્ર થયે. સમરાદિત્ય સંસારથી મુકત થયે, અને ગિરિસેન અનંતસંસારી થયા, છે એ પ્રમાણે ગાથાઓ વાંચતા અને તેનો અર્થ વિચારતાં કુશલમતિ હરિભદ્ર સૂરિ ચિતવવા લાગ્યું કે–એક વનવાસી મુનિના પારણના ભંગ નિમિત્ત પણ ભવચક્રમાં કેટલું બધું વેર ચાલ્યું ત્યારે અહીં તો કપરૂપ દાવાનળની પ્રચંડ જવાળાથી અંધ બનીને મેં બદ્ધમતના લોકો સાથે પ્રપંચ રચ્યો અને તેમને મારી નાખ્યા, તેથી વિરતિનું અતિક્રમણ કરી ચિરકાળથી ઉદ્ભવેલ મિથ્યા–આગ્રહના શાસ્ત્રોથી જાણે સમ્યજ્ઞાન ખોઈ બેઠો હોઉં, તેમ સુકૃતના ગે જિનમતનું જ્ઞાન ધારણ કરીને પણ મેં મિથ્યાત્વને અવકાશ આપે એ મારા જીવને ભવિષ્યમાં નરકગમનના એક દુષ્ટ દેહદરૂપ થઈ પડશે.” . . એ રીતે પોતાના આત્માને પ્રતિબંધ આપી તેમણે મુનિઓને પ્રગટ રીતે જણાવ્યું કે–અહે! આ જગતાં વાત્સલ્યને ધરાવનાર ગુરૂના શું કઈ રીતે અનુણી (ત્રણરહિત) થવાય? કે જેણે નરકગતિની સમીપે જતા મને બચાવવાની ઈચ્છાથી આ ઉપાય ચલાવ્ય” એમ કહી વિરોધને મન, વચન અને કાયાથી તદન ત્યાગ કરી, તે રાજાની અનુમતિ લઈને ગુરૂમહારાજને મળવાની મેટી ઈચ્છા ધરાવતા શ્રી હરિભદ્રસૂરિ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિલંબ વિના શીધ્ર પ્રયાણ કરતાં તે અલ્પકાળમાં શ્રીગુરૂ પાસે આવી પહોંચ્યા. ત્યાં ગુરૂના ચરણે શિર નમાવીને તે ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગ્યા કે–“હે ભગવન!ગુણીયલ શિખ્યાના મોહને લીધે હું આપના ચરણ-કમળની સેવાથી વિમુક્ત થયા. હવે શાસ્ત્રવિહિત પ્રચંડ પ્રાયશ્ચિત આપીને સર્વર મારા એ પાપની શુદ્ધિ કરે, અને અવિનયના સ્થાનરૂપ આ કુશિષ્યપર આપ પૂર્ણ પ્રસાદ કરે. ત્યારે ગુરૂએ તેમને ગાઢ આલિંગન આપી, કરેલ પાપને યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ બતાવતાં જણાવ્યું કે–અહો ! પાપ અને સુકૃત સાધવામાં સમર્થ એવા હરિભદ્રસમાન શિષ્યો કયાં છે ? પછી તે ઉગ્ર તપથી પિતાના શરીરને શુષ્ક બનાવવા લાગ્યા, છતાં તે બંને શિષ્યોને વિયોગ, સાગરને જવાળા યુકત વડવાનલની જેમ તેમના મનને અત્યંત દગ્ધ કરી રહ્યો હતો, ત્યારે અતિશય સંતાપ પામતા હરિભદ્રસૂરિને ધીરજ આપવા અંબાદેવી આવીને મધુર વચનથી સમજાવવા લાગી --“હે કષિ ! ગૃહ, ધન, પુત્ર, પરિવારના ત્યાગી એવા તમને આ વિરહનો સંતાપ કેવો? જિનસિદ્ધાંતના વિચિત્ર શાસ્ત્રોના સેવનથી નિપુણ અને શુદ્ધમતિ ધરાવનાર હે મુનિ ! પોતાના કર્મનો વિપાક અવશ્ય ફળ આપનાર નીવડે છે, તે પોતાનું અને પરનું ગણવાનું શું છે ? એ તો વિદ્વાનોને એક પ્રકારની વિડંબના છે, માટે ગુરૂપદની સેવાથી અભિરામ બની શુદ્ધ તપસ્યાથી તારા જન્મને સફળ કર, કે જેથી શરદઋતુના મેઘની જેમ તારૂં એ કમ સત્વર ક્ષીણ થઈ જાય, ' ' ! III | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust |
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy