SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( 114). - શ્રી પ્રભાવક ચરિત્ર. એમ મૂલ પક્ષ તેણે પ્રતિપાદન કરતાં પ્રતિવાદી જૈનાચાર્ય સમ્યક્ વિચાર કરીને કહેવા લાગ્યા કે - જે આ બધું વિનશ્વર છે, તે મરણ અને વિચારની સંતતિ કેમ ચાલી શકે ? વળી પૂર્વે આ ચેલ છે, એવી વિચારપરંપરા કેમ ઘટી શકે ? " ત્યારે બદ્ધગુરૂએ જણાવ્યું કે–અમારા મતમાં વિચારસંતતિ સદા તુલ્ય અને સનાતન હોય છે. તે સંતતિમાં એવા પ્રકારનું બળ રહેલ છે કે જેથી અમારો વ્યવહાર તેજ પ્રમાણે ચાલી શકે છે. એટલે જેનસૂરિ પ્રદપૂર્વક કહેવા લાગ્યા કે—જે એ અતિસંતતિ અવિનશ્વર છે, તો તે સત્ એટલે ક્ષણિક નથી, એમ સુવિદિત થયું. અને તે સંતતિ ધ્રુવ સિદ્ધ થવાથી તારૂં એ વચન તારાજ સિદ્ધાંત થી વિરૂદ્ધ પડયું તેથી પોતાના સિદ્ધાંતમાં પણ અત્યંત મૂઢતા ધરાવનાર એવો તું જે પ્રતિપાદન કરવા ઈચ્છે છે, તે વિદ્વાનોને કઈ રીતે માન્ય થઈ શકે તેમ નથી, માટે ચિરકાળથી લાગેલ સમસ્ત વિનશ્વરપણાની તારી પ્રતિજ્ઞાને મૂકી દે.” એમ વચનથી સૂરિએ નિરૂત્તર કરેલ બદ્ધાચાર્ય મૌન રહ્યો એટલે લોકેએ “આ પરાજિત થયો” એમ બોલતાં તરતજ તપેલા તેલના કુંડમાં પડયે. ત્યાં બૈદ્ધગુરૂના અકાળ મરણથી તેમનામાં કોલાહલ થઈ પડયો અને એ અપમાનથી લજજા પામી ભયાતુર અને નિર્વાથ બનેલા તેના શિષ્યો ભાગવા લાગ્યા. એવામાં તે ગુરૂની જેમ ભારે ચાલાક એક બદ્ધશિષ્ય વાદ કરવા આવ્યો, એમ પાંચ છ પ્રવીણ શિષ્યો એક પછી એક વાદ કરવા આવ્યા. તે બધાને હરિભદ્ર મહારાજે જીતી લીધા, એટલે પોતાના ગુરૂની જેમ તે પણ તેલકુંડમાં પડીને મરણ પામ્યા, ત્યારે બદ્ધશિષ્ય ક્રોધના વશે પ્રસરતા દર્પનો નાશ થતાં પોતાની શાસનદેવીને કર્કશ વચનથી ઉપાલંભ આપતાં બોલ્યા. કારણ કે અધમ દિવસેમાં દેવ દેવી યાદ આવે છે–“હે રાક્ષસી ! અમારા ગુરૂએ (રાજાએ) જે તારી સતત પૂજા કરી, તે વૃથા ગઈ. હે તારે! તે કુમરણથી અત્યારે મૃત્યુ પામતાં તું કયાં ગઈ હતી? ચંદન, કેસર, કુંકુમ, વિલેપન, ધુપ અને શ્રેષ્ઠ ભેગ તથા સુગંધિ પુષ્પમાળથી તારી જે પૂજા કરી, તે એક પત્થરની પૂજા જેવી થઈ. એમ સારી રીતે પૂજવામાં આવેલ તારા જેવી દેવી આવા સંકટ સમયે જે સહાયતા ન કરે, તો દેહધારી મનુષ્યને સારી વસ્તુને ભોગ ધરાવવામાં આવે તે શું ખોટું છે?” આ તેમના ઉપાલંભ વખતે તારા દેવી નજીકમાં રહીને બધું સાંભળતી હતી. શિખેના અનુચિત વચન સાંભળતાં પણ તેમના પર ક્રોધ ન લાવતાં દયા બતાવતી તે કેમળ વચનથી કહેવા લાગી કે હે શિષ્યો ! તમે અતિશય શોક લાવી દીન જેવા બનીને જે અનુચિત વચન બેલે છે, એ કુવચનની પણ અત્યારે હું દરકાર કરતી નથી, પણ તમે મારું એક વચન સાંભળે-તે બે જૈનશિપે બહ દર દેશથી અહીં પરસિદ્ધાંતને અભ્યાસ કરવા આવ્યા, તેમને જિનશિરપર પગ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy