SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ . . તે સર્વ વ્યતિકરને સાંભળીને કુમારે તેને કહ્યું, હે. માતા! તું ધીરજ ધર! તેને જીતીને કુમારીને હું અહીં લઈ આવું છું. એમ કહીને તેની શુદ્ધિ માટે કુમાર મહાઅટીમાં શોધવા લાગ્યો. અને અહીં થોડા સમયમાં સૂર્યઉદય થયે, કુમાર પણ વિશાળ પર્વત પર ચડ્યો. ત્યાં એક ગુફામાં તે. યશોમતીને વિવાહ માટે પ્રાર્થના કરતાં ખેચરને જે. ત્યાં તેને બેચરને આ પ્રમાણે કહેતી બોલતી સાંભળી. “હે. નિરર્થક પ્રાર્થના કરનાર ! તું વ્યર્થ શા માટે ખેદ કરે છે? મારો પતિ તે શંખની જેમ ઉજવલ ગુણવાળો શખ જ છે બીજે નહીં. તે વચને સાંભળીને કુમાર હર્ષિત થયે. હવે તેઓ વડે કુમાર જેવા. ત્યારે ખેચર હષિત થઈને બે, આ મૂર્ખ ! તારો પ્રિયતમ ભાગ્યથી ખેંચાઈને મારા. વશમાં તમારી પાસે) આવ્યો છે. અને આને તારી આશાની જેમ મારીને બલપૂર્વક તને પરણીને મારા ઘરે લઈ જઈશ. આ પ્રમાણે બેલતાં તેને શંખકુમારે કહ્યું. એ. પરનારી હરણ કરનારા ઉઠ તારું મસ્તક ખડ્રગ વડે ઉડાવું. તે પછી તે હાથમાં ખડુંગવાળા બલવાન પોતપોતાના બળવડે પર્વતને કંપાવતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ તે જ્યારે ભૂજા બલવડે કુમારને જીતિ ન શક્યો. ત્યારે વિદ્યાવડે કરાયેલા તપેલા લોઢાના ગોળા પ્રમુખ અસ્ત્રો વડે યુદ્ધ કર્યું. કુમારના પુણ્યની પ્રબળતાથી કેટલાક અસ્ત્રોને કુમારે સામે આવતાં જ તલવાર વડે હણી નાખ્યાં. અને ખેચર પાસેથી ધનુષ્ય ખેંચી લીધું અને તેજ બાણવડે તે ખેચરના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy