SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ - આ પ્રમાણે ત્રણે પણ તે મુનિ–રથકારક અને મૃ5 જ્યાં ધર્મના વિચારોમાં તત્પર રહેલા છે. ત્યાં મહાવાયુથી હણાયેલું અધું છેદેલું વૃક્ષ તતકાલ પડયું. ત્યારે તે ત્રણે પણ તે પડેલા વૃક્ષ વડે હણાયેલાનું આયુષ્ય પૂર્ણ થયું, અને બ્રહ્મકમાં પોત્તર નામના વિમાનમાં દેવ થયા. સાઠ માસક્ષમણ, સાઠ પક્ષક્ષમણ. ચાર, ચાર માસ આદિ દુષ્કર તપ તપીને સો વર્ષ સુધી વ્રત પાલીને બારશે વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરીને પાંચમા દેવલોકમાં ગયે છતે તે બલભદ્ર દેવે અવધિજ્ઞાન વડે ત્રીજી પૃથવીનું રાજય કરતાં પોતાના ભાઈને જે. તે પછી ભાઈના મોહથી મોહિત રામ વૈકિય શરીર કરીને ગોવિંદની પાસે ગયે. અને તેને પરમ પ્રીતિથી આલિંગન કરીને આ પ્રમાણે બો. “રામ તારો મોટો ભાઈ તારી રક્ષા કરવા માટે બ્રહ્મલેકથી અહીં આવ્યે છું. “તેથી કહે તારી પ્રીતિ માટે શું કરું? એમ કહીને તે કૃષ્ણને હાથથી ગ્રહણ કર્યો, પરંતુ તે હાથથી ટુકડા થઈ થઈને પારાની જેમ ભૂમી ઉપર પડ્યો. અને ફરી મળે. : " પ્રથમ આલિંગનથી, તે પછી પૂર્વભવ કથનથી અને તેને ઉદ્ધરવાને જણાવેલા રામને કેશવે અતિ સભ્રમપણથી ઉઠીને નમસ્કાર કર્યો. હવે તેને બલભદ્દે કહ્યું. હે ભાઈ ! શ્રી નેમિનાથ વડે ત્યારે વિષયથી ઉત્પન્ન થયેલું સુખ, દુઃખના અંતરવાળું કહ્યું કે તારે હમણું પ્રત્યક્ષ થયું. કર્મના નિયંત્રિતપણાથી તને દેવલેકમાં લઈ જવા માટે તે હું સમર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy