SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 384 છેડી દાસીપણું માંગ્યું છે. તેણે એ કહ્યું. તે મને તમે હમણાં સ્વામીત્વ આપે. કેશવે પણ કહ્યું. હમણાં તે તું વીરકને આધીન છે. મારા વશમાં નથી. તે પછી અતિ આગ્રહ વડે તેણીએ કહ્યું ત્યારે કેશવ વડે વારણ કરાયેલા વીરકે તેને શ્રી નેમિનાથ પાસે લઈ જઈને દીક્ષા અપાવી. એકદા કૃણે સમસ્ત મુનિઓને દ્વાદશાવત વંદનવિધિવડે વંદન કર્યું બીજા રાજાઓ તે શક્તિરહિત હોવાથી ખેદ પામેલા રહ્યા. વાસુદેવને અનુસરનાર તેની પાછળ વીરકે પણ કેશવની ભક્તિ વડે સર્વ સાધુઓને દ્વાદશાવતી વંદન વડે વાંદ્યા. તે પછી કૃષ્ણ સ્વામીને કહ્યું. “હે પ્રભુ! ત્રણસો સાઠ સંગ્રામ વડે ત્યારે હું શાંત ન થયો. જેમ આ વંદન વડે મને થાક લાગ્યું. ત્યારે સર્વ પણ કહ્યું. “હે કેશવ! આજે તમે ઘણું પૂણ્યઉપાર્જન કર્યું ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થકર નામકર્મ સ્વાધીન કર્યું. તેમ તારા વડે સાતમી નરકથી ઉદ્ધરીને ત્રીજી નરક યોગ્ય આયુ કર્યું અને તે અંતે નિકાચિત કરશે. એમ સાંભળીને હાર્ષિતમનવાળા કૃણે કહ્યું. “હે નાથ ! ફરી વંદના કરું જેથી મારું પૂર્વની જેમ મૂલથી નરકનું આયુ તુટી જાય. સ્વામીએ કહ્યું.” હવે પછી તારું દ્રવંદન થશે, ફળ તે ભાવ વંદનથી પ્રાપ્ત થાય છે. ત્યારે કેશવે વરકના ફળને પૂછયું. સ્વામીએ કહ્યું આને ફળ ખરેખર કાયકલેશ થયું. કારણ કે આણે ખરેખર તારા અનુસરણથી વંદના કરી છે. તે પછી ભગવંતને વંદના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy