SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ કર્યું. ત્યાં હસીને કૃષ્ણ બોલ્યો હે રાજન ! આ પ્રમાણે તમે સાચું કહ્યું. હું એવો જ છું. પરંતુ તમારી શિખેલી: શસ્ત્રવિદ્યા મને બતાવે હું એક જ છું, આ પ્રમાણે હું તમારી જેમ લાઘા નથી કરતે પણ, આ એક જ કાંઈક કહું છું કે “તમારી પુત્રીની થોડા જ કાળમાં અગ્નિપ્રવેશ પ્રતિજ્ઞા પૂર્ણ કરાવીશ. હું કહું છું તે અન્યથા. નહીં થાય. આ મારું વચન સત્ય કરીને જ માનવું. ( આ પ્રમાણે કેશવ વચન વડે કુદ્ધ જરાસંધે તીક્ષણ બાણેને મુકયા. તે સર્વને તત્કાલ કૃષ્ણ છેદ્યા, તે બંનેએ પણ (જરાસંધ-કૃષ્ણ) યુદ્ધમાં રક્ત અષ્ટાપદની જેમ યુદ્ધ કર્યું. ધનુષ દંડના શબ્દો વડે સર્વ દિશાઓને ધ્વનિ યુક્ત કરતા મહાસંગ્રામને કર્યો, તે બનેના રણસંગ્રામથી સમુદ્રશ્નભિત થયા. પર્વત કંપ્યા, અને આકાશમાં ખેચર ભય પામ્યા. અને પર્વતની. જેમ તે બનને રથના આવવા જવાના ભારને સહન ન કરી. શકવાથી પૃથ્વીએ પણ ક્ષણભરમાં પિતાનું સર્વ સહત્વપણું છેડયું, મગધેશ્વરના દેવીઅસ્ત્રોને ગોવિન્દ દેવતાઈ અસ્ત્રો વડે લેતું લેઢાને કાપે તેમ લીલામાત્રમાં છેલ્લાં ' હવે સર્વ અસ્ત્રસમૂહ નિષ્ફળ થયે છતે અમર્ષથી. ભરેલા વિષાદયુક્ત ચિત્તવાળા જરાસંઘે અન્ય અસ્ત્રો વડે ને. વાળી શકાય એવા દુર્વાર અમોઘ અસ સ્વરૂપ પિતાના ચકરને યાદ કર્યું. તે જ સમયે ચક્રરત્ન આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy