SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 178 આલિંગન કર્યું. હવે નલરાજા દ્વાર ઉપર આવે તે ભીમરથ રાજાએ આલિંગન કરીને પિતાના સિંહાસન ઉપર બેસાડયા. તમે મારા સ્વામી આ સર્વ કાદ્ધિ પણ તમારી. હું શું કરું ? આપ આદેશ આપે” આ પ્રમાણે બલતે પહરેદારની જેમ હાથ જોડીને ભીમરથ નલની સામે ઊભું રહ્યો. દધિપણું પણ નલને પ્રણામ કરીને દ્વારપાળની જેમ બેલ્યો. હે નલ ભૂપાળ! આપ મારા સદા નાથ છે. જે અજ્ઞાન વડે તમારી પાસે અકાર્ય મારા વડે કરાવાયું અને અવિનય કર્યો તે સર્વ મારે અપરાધ ક્ષમા કરે (અમે). આટલામાં તે ધન દેવ સાર્થવાહ મેટું ભંટણું લઈને ભીમરથ રાજાને જોવા આવ્યો. ત્યારે દેવદતીએ ભીમરથ રાજાને કહીને તે પૂર્વના ઉપકારીનું પોતાના ભાઈની જેમ તેનું ગૌરવ કરાવ્યું. પછી પૂર્વના ઉપકારને જાણનારી અત્યંત ઉત્કંઠાવાળી દવદતીએ હતુપર્ણ રાજા, તેની પ્રિયા ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી, તાપ પુરને સ્વામી વસંત શ્રી શેખર સાથે પતિ, સર્વેને પણ ત્યાં પિતાના વચને વડે બોલાવ્યા. ભીમરથ રાજા વડે નવનવા પ્રકારના અતિથિ સત્કાર વડે ઘણો જ સત્કાર કરાતા પ્રીતિપૂર્વક મનવાળા તેઓ એક મહિના સુધી ત્યાં રહ્યા. એક દિવસ તેઓ સર્વે ભીમ સભામાં બેઠે છતે કઈ એક તેજપુંજવાળ દેવ આકાશથી ઉતરીને આવ્યો. અને તે સતીને કહ્યું : હે મહાનુભાવે ! હું પૂર્વમાં તાપને અધિપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy