SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર સતીત્વ પ્રભાવ વડે હતાશ થા. આમ વચન સાંભળીને તે રાક્ષસીએ તેને ખાવાની ઈચ્છા છેડી દીધી અને તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવેલીની જેમ તે રાક્ષસી ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ફરી પણ તે સતી નલની પ્રિયા આગળ જતી જલના આકારની તરંગોવાળી રેતની કણીઓવાળી એક જલરહિત પર્વતની નદીને જોઈ અને તે તૃષાથી પીડિત હોવાથી તે બોલી. “જે મારૂં મન સમ્યગ્દર્શનથી વાસિત થયેલું હોય તે અહીં ગંગા જેવું નિમલ જલ થાઓ એમ કહીને પિતાના પગના પ્રહાર વડે ભૂમીને ખોદી. ત્યાંથી તેજ સમયે ઈન્દ્રજાલની નદીની જેમ જલથી પૂર્ણ ભરેલી નદી થઈ ગઈ અને ત્યારે દેવદતીએ હસ્તીનોની જેમ તે જલને જેટલું પીવાય એટલું પીધું. તે પછી ત્યાંથી પણ જતા તે થાકની અધિકતાને પામેલી એકવટ વૃક્ષના નીચે તે વટવાસિની દેવીની જેમ બેઠી. હવે સાર્થથી આવેલા મુસાફરોએ તેને તે રીતે બેઠેલી જોઈ અને બોલ્યા. હે ભદ્ર! તું કેણ છે? અમને તો તું દેવીની જેમ દેખાય છે. ત્યારે તેણીએ કહ્યું. હું માનુષી છું. સાર્થથી ભ્રષ્ટ થયેથી અરણ્યમાં રહું છું. અને તાપસ પુરમાં જવા ઈચ્છું છું. તેથી તે માર્ગ ઉપર મને નિયેજિત કરો. તે માર્ગ મને બતાવે. તે બેલ્યા. જ્યાં સૂર્ય અસ્ત થાય છે તે દિશાને આશ્રય કર. તને માર્ગ બતાવવા માટે અમે જવાની ઈચ્છાવાળા હોવાથી સમર્થ નથી, જલ લઈને અમારા સાર્થમાં જઈશું. અને તે પાસે જ છે. જે ત્યાં તમે P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy