SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ગુફામાં આવે છતે દવદંતીને અહંત બિમ્બને પૂજતી જોઈ. તેને કુશળ જેઈને વિરમયથી વિકસ્વર નયનવાળે તે સાર્થવાહ તેને નમસ્કાર કરીને પૃથ્વી ઉપર બેઠો. તે પણ અહંત પૂજાને પૂર્ણ કરીને સત્કારસૂચક વાકયો વડે સત્કાર કરીને મધુર વાણીથી તેની સાથે બેલી. ત્યારે તેના શબ્દોને સાંભળીને નજીકમાં પાસે રહેલા કેટલાંક તાપસી પણ ત્યાં જલદીથી આવ્યા. અને ઊંચા કરેલા કાનવાળા હરણોની જેમ ત્યાં ઊભા રહ્યાં. અને ત્યાં તે તે પછી વરસાદ ઘણી મોટી ધારાઓ વડે વર્ષવા લાગ્યો. બાણોની જેમ જલધારાઓ વડે હણતા તે તાપ બેલ્યા. આપણે હવે હમણ કયાં જઈએ. આ પાણીથી કણ બચાવે? ત્યારે તે જલના ભયથી ભયભીત થયેલાઓને જોઈને તે સતી “ન ડરો-ન ડરો” એમ ઊંચા અવાજથી બોલી. અને તેઓની ચારે બાજુ કુંડાળું કરીને તે સતીઓમાં શિરોમણી એવીએ ફરીથી મનહર વચનને કહ્યું. જે હું સતી હાઉં, જે હું પરમ આહુતી હોઉં અને સરલ ચિત્તવાળી હેઉં તે આ કુંડથી બાહર મેઘ વશે. ત્યારે તેના સતીત્વના મહાઓથી ત્યાં કુંડમાં ધારેલા છત્રની જેમ જલ લવલેશ પણ ન પડયું. તે ચમત્કાર જોઈને સવેએ વિચાર્યું. આ કઈ પણ નિશ્ચયથી દેવી છે. માનુષીમાં તે આવું રૂપ અને આવી શક્તિ ન હોય. તેથી તેને વસંત સાર્થ વાહે પૂછયું. “હે ભદ્ર! તમારા વડે આ કયા દેવ પૂજાય છે? તે કહો. તેણીએ તે સાથે વાહને કહ્યું. “આ દેવ અરિહંત છે, ત્રણ લેકના નાથ છે, પરમેશ્વર છે, વાંછિત પદાર્થને આપનારા છે. આ દેવની આરાધના 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy