SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 140 આપેલા માર્ગ વડે હું પૃથ્વીમાં પ્રવેશ કરીને નિવૃત્તિને પ્રાપ્ત કરૂં.” . ' ' . પર આ પ્રમાણે ઘણા પ્રકારના વિલાપ વડે વિલાપ કરતી અને રતી દવદન્તી પોતાના આખેના અશ્રુજલ વડે નીવડે જલથી વૃક્ષ સિંચાય તેમ અરણ્ય વૃક્ષોને સિંચ્યા. જલમાં, સ્થળમાં વૃક્ષની છાયામાં, અરણ્યમાં પર્વતમાં સર્વત્ર નલના વિના તાવથી પીડિતની જેમ. તેને આરામ શાંતિ લલેશ પણ ન થઈ હવે અટવીમાં ભમતી તેણીએ પોતાના ઉત્તરીયા વસ્ત્રાચલમાં લખેલા અક્ષરો જોઈને, વિકસિત નયનકમળવાળી તેણીએ હર્ષ વડે વાંચ્યા અને વિચાર્યું નિશ્ચયથી હું નલના મનરૂપી સંપૂર્ણ સરોવરમાં રમનારી હંસી છું. જે આ પ્રમાણે ન હેતે તે મને આદેશ દેવાની કૃપા કયાંથી હોત? હું પતિને આ આદેશ ગુરુના વચનથી પણ અધિક માનું છું. એમના આદેશનું પાલન કરવાથી મને સુખ જ થશે. તેથી પિતાને ઘરે જાઉ! પરંતુ પતિ વિના તે ઘર પણ સ્ત્રીઓને પરાભવ માટે જ હોય છે. પ્રથમ પતિની સાથે પણ મારા વડે પિતાના ઘરે જવાની ઈચ્છા કરી હતી. તેથી હવે તે વિશેષથી પતિના આદેશને વશવતીને એવી હું પિતાના ઘરે જાઉં! એમ નિશ્ચય કરીને તે વડલાના માર્ગથી જવા માટે ચાલી, " : ' ' . . . 1 - માર્ગમાં ફાડેલા મુખવાળા વાઘ ખાવા માટે ઊભા થયેલા પણ અગ્નિની જેમ તેની પાસે આવવામાં સમર્થન થયા. ફરી તેના જલદીથી જવાથી રાફડામાંથી નીકળેલા મોટા સર્પો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy