________________ श्रीमेरुतुजमरिविचित श्रीनामाकराजाचरितम् | ઝિમીન (રી (ત વિ. સં. ૨૦૪૨ની સાલ અમારા માટે શુકનવંતી સાલ હતી વર્ષો પછી પૂજ્ય અચલગચ્છના પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોના પદાર્પણથી અમારી ભધિન્ય બની. સેંકડો વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નો પૂજ્ય મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા., પૂજ્ય ઉદયરત્નસાગરજી, પૂજ્ય મહારત્નસાગરજી, પૂજ્ય છે દેવરત્નસાગરજી આદિ ઠાણા 4 ડીગ્રસ નગરે પધાર્યા ત્યારે અમારા આનંદનો પાર નહોતો. ચાતુર્માસ, ૬”રિ સંઘ આદિની વિનંતી કરી પણ સંજોગોવશાત અમારી આશાફળીભૂત થઈ નહિ. પરંતુ નગરમાં શિખરબદ્ધ - જિનાલયનો નિર્ણય પૂજ્યોની નિશ્રામાં લેવાયો. એજ વર્ષે પૂજ્ય મુનિશ્રી પુણ્યોદયસાગરજી આદિ ઠાણા ૩ના ચાતુર્માસ દરમ્યાન જિનાલયના ખાતમહુર્ત-શિલાન્યાસની વિધિ થઈ. ત્યાર બાદ પૂજ્ય સાધ્વીશ્રી જ્યોતિપ્રભાશ્રીજી ઠા. ૨ના ચાતુર્માસમાં પૂજ્ય સાધ્વી ભગવંતોની પ્રેરણાએ અજબ કામણ કર્યું અને થોડા જ સમયમાં પ્રતિષ્ઠા મહોત્સવની દુંદુભિ વાગવા લાગી. વિ. સં. ૨૦૪પમાં પૂજ્ય 5 મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. આદિઠાણા તથા પૂજ્ય સાધ્વીશ્રી જ્યોતિસ્પ્રભાશ્રીજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં શાસ્ત્રોક્ત રીતે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. પૂજ્ય મુનિરાજશ્રી વિદર્ભ દેશમાં 1000 દિવસ રહ્યા એ દરમ્યાન 10 જગ્યાએ પ્રતિષ્ઠા - દીક્ષા મહોત્સવ - ૪૬રિ સંધો - 151 છોડના ઉજમણા - 8 જ્ઞાનસંસ્કાર શિબિરો - વિગેરે શાસનપ્રભાવનાના અનેક કાર્યો થયા. આ સમય દરમ્યાન પૂજ્યમુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ.સા. અને પૂજ્ય મુનિરાજશ્રી ચારિત્રરત્નસાગરજી મ.સા. આદિ ઠાણા ના ચાતુર્માસનો અભૂત લાભ અમને મળ્યો. આ ચાતુર્માસની સ્મૃતિ કાયમ જળવાઇ રહે એ માટે પૂજ્યશ્રીને વિનંતી કરતાં પૂજ્યશ્રીએ આ નાભાક ચરિત્ર ગ્રંથનો લાભ લેવાનું સૂચન કર્યું કે અમે સહર્ષ સ્વીકાર્યું. આ ગ્રંથની પૂર્ણાહૂતિ પણ દિગ્રસ ચોમાસામાં થઈ જે અમારા સંધ માટે આનંદની વાત છે. ક ભવ્ય પ્રતિથિી વિદર્ભ શિબિરો Jun Gun Aaradhak Trust P. PAC Gunratnasuri M.S.