SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (258) બત્રીસપુતળીની વારતા રૂ. 18 પુનર્જન્મ થયેલ હોય તેમ હું પિતાને માનવા લાગે. ફી જીવનને મને વિશ્વાસ આવ્યો. સપના લીસોટાને જેતે હું સાવધાનપણે ત્યાંથી આગળ ચાલે. છેડેક દૂર જતાં એક શિલા ઉપર કંડાળું કરી કુંડાળું કરી બેઠેલા તે સપને મેં દીઠે. નાગદમની વિદ્યાવડે તે સપને વશ કર્યો અને તેના મસ્તક પરની મણિ, ઉપગી જાણ લઈ લીધી. પહાડથી ઉતરતી નદીના નજીકમાં રહેલા શ્મશાનમાં, આ ગુફા હેવાથી મને ખાત્રી થાય છે કે તે ચોરની જ ગુહા હેવી જોઈએ. પણ તે બંધ અને અવાવર હવાથી ચાર મરણ પામ્યું હશે એમ ધારી તેજ શિલાવડે તે ગુહાનું દ્વાર પાછું મેં બંધ કર્યું. આ રાજતરફથી મને અન્યાય અને અનર્થ થશે એમ જાણવા છતાં પણ તારા વિરહને નહિ સહન કરી શકવાથી હું ત્યાંથી સિધ્ધ શહેરતરફ વળે. શહેરમાં આવતાંજ જાણે તને સજીવન કરવાનું મને નિમંત્રણ થતું હોય તેમ પડહાજતે સંભળા. લોકોને મેં પડહ વજાવવાનું કારણ પુછયું. તેઓએ તારે સર્પદંશ થવાને વૃત્તાંત મને જણાવ્યું. એટલે મેં પણ તરતજ તે પડતને સ્વીકાર કર્યો, અને સપ પાસેથી લીધેલા મણિવડે મેં તને સજીવન કરી. - પ્રિયા ! આ રાજા પાસેથી મેં વચન લીધું છે કે મલયાસુંદરી મને આપવી. માટે હવે તારે જરાપણું અધૃતિ ન કરવી, મને નિશ્ચય ખાત્રી છે કે તેને રાજા મારે સ્વાધીન કરશે. તે આ સમાચારથી, અમૃતથી સંચાયેલી હોય તેમ મલયાસુંદરી અત્યંત શાંતિ પામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy