SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ 426 : કથારન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * જન્મ પયંત હું તમારો સેવક થઈને રહીશ.” તે સાંભળીને સરળ પ્રકૃતિવાળા સુશર્મા બ્રાહ્મણે વિચાર્યું; “આ સેની સત્ય કહે છે, શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકો છે? જે થવાનું હોય તે થાય. ઉપકાર કરનારા વિવેકીએ પંક્તિભેદ રાખવે એ ગ્ય નથી. વળી તે વાઘ વગેરેનું કહેવું પણ કદાચ સત્ય હોય તે પણ મારે એની સાથે શું કામ છે? હું દૂર દેશમાં રહું છું, અને આ તે આ દેશને જ રહીશ છે, તે આ સેની મારું શું અહિત કરવાને છે?” એમ વિચારીને તે સુશર્માએ પેલા રૂદ્રદેવ સોનીને પણ બહાર કાઢયો. - તે સમયે સનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું તમે મને જીવતદાન આપ્યું છે, માટે મારા પર કૃપા કરીને મારા ઘેર આવજે. હું ભૂલભનગરમાં સેની બજારમાં રહું છું. તમે જે ત્યાં આવશે તે હું તમારી યથાશક્તિ ભક્તિ કરી ઋણમુક્ત થઈશ.” આ પ્રમાણે વાણીને વિલાસ કરી તે રૂદ્રદેવ સની પિતાનાં નગરમાં ગયે. આ બાજુ સુશર્મા બ્રાહ્મણ પણ અડસઠ તીર્થોની યાત્રા કરીને કેટલાક કાળે પાછો ફર્યો. અનુક્રમે તે જ દીર્ઘદંત અરણ્યમાં તે આ , દેવયોગે પેલા વાઘે તેને જે, અને ઓળખે, એથી “આ મારે જીવિતદાતા મહાઉપકારી છે.” એમ સ્મરણ કરીને વાઘે તે સુશર્માને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા.. તે પછી પોતે પૂર્વે મારેલા રાજકુમારના શરીર પરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy