SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ * 0 0 0 0 * લક્ષ્મીદેવીની આસુરી માયા : 411 જન વિના નકામે પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ધાર માગ છે, ઘણા માણસે અહીંથી પહેલાં પણ ગયા હશે જે ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તે તેમણે જ ગ્રહ કરી ન હોય? માટે જલદી ચાલો, રાજા પાસે જઈ કાય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ નાન ભેજ. નાદિક કરી, માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈએ.” આ પ્રમાણે બીજાએ કહ્યું. એટલે પિલાએ ફરીને કહ્યું; “ભાઈમારા મનમાં તો મોટું આશ્ચર્ય ભાસે છે, માટે હું તો ત્યાં જઈને નિર્ણય કરીશ.” એટલે તેણે જવાબ આપે; “ખુશીથી તું જા. તારા બાપદાદાએ ત્યાં થાપણ મૂકેલી છે, તેથી તેનું પિોટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં, કે એમાંથી ભાગ દેવો પડશે. મારે ભાગ જોઈ નથી, માટે તારે મને ભાગ આપવો નહીં, તુંજ લઈને સુખી થા.” એમ કહીને પેલો સુભટ શીધ્ર નગર તરફ ચાલે અને પહેલો તે તેનાથી જુદા પડીને તે શિલા પાસે ગયા. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાનો એક ખૂણે જાત્યસુવર્ણમય જોયા. તે જોઈને મનમાં આશ્ચર્ય પામીને તે સુભટ વિચારવા લાગ્યો; “અહો! બહુ સારું થયું કે મારે સાથીદાર ન આવ્યો. જે કદાચ આવ્યો હોત તે તેને ભાગ આપવો પડત. મારા જ ભાગ્યને ઉદય થયો છે. હવે હું જોઉં તો, ખરે કે આ સુવર્ણ કેટલુંક છે?” આમ વિચારીને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy