SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 401 આ ઘરને પોતાનાં ઘરની જેવું જ જાણવું, તેમાં કાંઈ પણ ભેદ માન નહિ, તમારી આજ્ઞા મારે પ્રમાણ છે, હું મન, વચન અને કાયાથી સત્ય જ કહું છું કે, માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ. વધારે કહેવાથી પેટે વિવેક કર્યો કહેવાય તેથી કહેતે નથી, અવસર આવે બધું જણાશે.” એમ કહીને ભાનુદત્ત શ્રેષ્ઠી ફરીને ડોશીમાને કહેવા લાગ્યો; “ડોશીમા ! અહીં બારણું આગળ કેમ બેઠા છો ? ઘરમાં આવે અને પલંગને અલંકૃત કરો.” આ પ્રમાણે શેઠ બોલ્યા કે તરત જ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને “ખમા, ખમા” બોલતાં ઘરમાં તેને પલંગ પર લઈ ગયા. આ અવસરે લામોદેવીએ પોતાની માયાથી એવું કર્યું કે, જ્યાં સરસ્વતીદેવી દેવવ્રત બ્રાહ્મણના રૂપે મહાભારતની કથા કરે છે, અને બધા લોકોને સમૂહ શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકો અને બીજા કેટલાક નગરના ગરીબ ભિક્ષકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા નીકળ્યા, તેરી માયા વિમુવી. તે જોઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લોકોએ તે લેકીને પૂછ્યું; “આ સુવર્ણ તથા રૂપાના અલંકારો અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા ? અને આમ ઉતાવળા કેમ દોડયા જાઓ છે ?" એટલે તેઓ બોલ્યા, “આપણું શહેરના પેલા શ્રી દત્ત ક, 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy