SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 303 બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂનો જે કાંઈ અપરાધ થયો હોય તો પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારો અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? આપ જ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છે. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણતરીમાં છે? તેથી સે વાતની એકજ વાત કહીએ છીએ કે કૃપા કરીને આ વૃદ્ધ પરદેશી નિર્ધન પુરુષની પુત્રવધૂને આપ પાછી આપો.” મહાજનના સમૂહની આ વાતને સાંભળીને જરા મિત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અન્યોક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ફોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા, “અરે ભાઈ! હમણાં આ નગરમાં ઘણા માણસે બહુ વાચાળ-દોઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણી વડે પારકાનાં ઘરની વાતો કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચને બોલે છે, પણ દુર્જનનો એવો સ્વભાવ જ છે. કહ્યું છે કે, “દુજનો પિતાના મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શક્તા નથી. અને એક નાના રેખા જેવડા પણ પરના છિદ્રોને જુવે છે” પણ તે સર્વને હું જાણું છું - ઓળખું છું. હમણાં તેવા સર્વને શિક્ષા કરવાને હું ઉઘુક્ત થયો છું. વધારે શું કહું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy