SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 292 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે સાંભળી ધન્યકુમાર બોલ્યાઃ “હે અધે ! શા માટે વન નકામું ગુમાવે છે? મનુષ્ય જીવનનો સાર માત્ર યાથ' વય જ છે. અને તે તે તું નકામું ગુમાવી દે છે. કહ્યું છે કે; હાથમાં રહેલ તાંબૂલ ખાધા વગર ડાહ્યા માણસે કેઈ દિવસ સૂકાઇ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃ આગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વહાલી હોત તે તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી દઈને જેવી રીતે સપ ચાલ્યો જાય તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલી ઘર છોડીને ચાલ્યો ગયે હશે, તેથી તેની પાછા આવવાના આશા વ્યર્થ છે, તેથી વ્યર્થ સંક૯૫ વિક૯પેની જાળ છેડી દઈને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુલભ એવા ભેગેને ભગવ, ગયેલી ઉંમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર, ભોગે ભેળવીને શરીરને તૃપ્ત કર.” આવાં વજીપાત તુલ્ય ધન્યકુમારનાં વચનને સાંભળીને ભયભ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી તે બોલી, “અરે બેંદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીત કોઈ પણ દિવસ સાંભળી નથી ? કે જેથી. આવું અધમ વચન બેલો છે ? કહ્યું છે કે " ઉત્તમ એવા ધતુરાની એ જ ગતિ છે, કાં તો શિવના માથા ઉપર તે ચઢે છે અથવા તો ભેય ઉપર પડીને તેનો વિનાશ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy