SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ . 0 0 0 0 0 0 સુપાત્રદાનને મહામહિમા : 243 અતિ ઉજવલ એવી ખાંડ હું આપીશ.” ચારે પાડોશણેએ આ રીતે કહ્યા પ્રમાણે વસ્તુઓ તેને લાવી આપી. જોઈતી વસ્તુ પ્રાપ્ત થવાથી તે ધન્યા હર્ષ પૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને તે બાળક પણ ભેજનની આશાના અવલંબનથી પ્રસન્ન હદયવાળો થઈને ગૃહાંગણમાં રમવા લાગ્યો. માતાએ તરત જ ખીર તૈયાર કરી. ખીર તૈયાર થતાં જ પુત્રને બેલાવીને ભોજન માટે તેને બેસાડ્યો, અને એક થાળમાં ઘી તથા ખાંડ વગેરેથી યુક્ત ખીર પીરસી; પછી તે પુત્રને આપીને પિતાની દષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઈ. માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકા વડે ભયભીત રહ્યા જ કરે છે. બાળક તે થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉsણું જાણીને તેને ઠારવા માટે હાથવડે પવન નાંખવા લાગ્યા. એ સમયે તે બાળકના મહાભાગ્યના ઉદયવડે આકર્ષિત થયેલા મહાપુણ્યના નિધાનરૂપ સુવ્રત નામના મહાતપસ્વી મહર્ષિ મા ખમણના પારણે ભિક્ષા માટે ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે ક્ષમાસાગર મહર્ષિને પિતાના ઘરમાં લઈ ગયા, અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવથી તે થાળમાં રહેલી બધી ખીર મુનિને તેણે વહોરાવી દીધી. પછી સાત આઠ પગલા સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતે બાળક સંગમ ઘરમાં પાછો આવે અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy