SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 188 : કથા રત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 * નરક તિર્યંચ વગેરે ચારે ગતિરૂપ સંસારમાં રખડે છે. જ્યાં સુધી સંસારમાં મનુષ્ય રહે ત્યાં સુધી નિર્દોષતા તે કયાંથી જ સંભવે? હું પણ નારકીમાં લઈ જનાર આ રાજ્યને છેડીને સંયમ લેવા આતુર થઈ ગયે છું, તેથી જેને જેને સંસારથી સાચે ઉગ જાગ્યો હોય તે બધાયને સુખેથી દિક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે, જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય, શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા” પૃથ્વીવલલભ રાજાનું આવું કથન - સાંભળી બીજા પણ સેવકેએ ઊભા થઈ રાજાને કહ્યું, આપની સાથે અમે પણ ચારિત્રને ગ્રહણ કરીશું. સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને આપની સાથે આવે, વકીએ ઊભા જ આવું કથન * કૃતાર્થ થઈ ફરજ છે, ણ કરીશું. તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું, “સ્વામિન્ ! મારે હજુ લેકવ્યવહારને અનુસરીને મારું રાજ્ય મારા પુત્રને સોંપવાનું છે, તેથી તેને - રાજ્ય ભળાવીને હું ચારિત્ર ગ્રહણ કરીશ; માટે મારા મનના મનોરથ પૂર્ણ કરવાને આપ કૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ સ્થિરતા કરો.” તે મુનિ મહાત્માએ કહ્યું “રાજન ! જો તમારી આવી જ ઈચ્છા છે, તે અહિંથી બે ચેાજન દૂર અમારા ગુરુ મહારાજ બિરાજે છે. ત્યાં આવીને તમે - તમારી ઈચ્છા પૂર્ણ કરજે, ગુરુની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં.” આમ કહી તે બને મહર્ષિઓ ગુરુ પાસે ગયા. કૃપા કરી જે તમારે સ્થિરતા કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy