SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ * 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 49 પ્રિય થઈ પડત. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ - વાળો હતો. અનુક્રમે બાલ્યવયનું તે અતિક્રમણ કરી યુવતીઓને ક્રીડા કરવાનાં વન રૂપ યૌવનવયને તેણે પ્રાપ્ત કરી. તેના જન્મથી આરંભીને ધનસાર શ્રેષ્ઠીના ઘરમાં ચારે બાજુથી ધનધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેને પિતા લક્ષ્મીની વૃદ્ધિ જેઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારે માણસ પાસે તે ધન્યકુમારનાં વખાણ કરતે હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે; “ગુરુની સ્તુતિ સામે કરવી, મિત્ર તથા બાંધની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિ બાદ કરવી, પુત્રની તે કરવી જ નહીં, અને સ્ત્રીની તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” - આમ છતાં પણ શેઠ તો કહેતા; “જે દિવસથી આ પુત્રનો જન્મ થયો છે, તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી જનનાં ચિત્તને ચેરનાશ છે. કેઈ નિપુણ માણસોથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. પૂર્વ જન્મના કેઈ શુભ ભાગ્યના ઉદયથી મારાં ઘેર કલ્પવૃક્ષનો પુત્રરૂપે જન્મ થયે જણાય છે.” . આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધનસાર શેઠ પિતાના ન્હાના પુત્ર ધન્યકુમારના ગુણેનું વર્ણન કરવા ક. 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy