SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અગ્નિમાં પકવેલું હોય છે ત્યારે પાણીમાં ઊંધ રાખીને તેને આધાર લઈને તરવાથી તારે છે એ પ્રસિદ્ધ વાત છે, પણ તીર્થકર પ્રભુ તે કિર્મ વિપાકથી અર્થાત હવે નવા ઘાતી કર્મના ઉદયથી મુકાયેલા હોવા છતાં કાચા ઘડા જેવા હોવા છતાં જે કોઈ તેમનો આશ્રય લે છે તેમને ભવસાગરથી તારે છે એ અત્યંત આશ્ચર્યજનક બીના છે એમ અત્રે આચાર્યશ્રી કહે છે છતાં તે યોગ્ય જ છે કેમકે તીર્થકર પ્રભુ પાર્થિવ નીપ કહેતા ત્રણે લોકના નાથ છે, સંપૂર્ણ જ્ઞાની છે, તેથી તેમની પાછળ લાગેલા વિજનોને સંસારથી વિમુખ બનાવી સરળતાથી મોક્ષે પહોંચાડે છે, પ્રભુની પેઠે લાગવું એટલે તેમણે પ્રરૂપેલ જ્ઞાન, દર્શન, અને ચરિત્રરૂપી મોક્ષમાર્ગની રૂડા ભાવથી આરાધના કરવી. કહ્યું છે ને : “કેવળજ્ઞાનીની અસર, સહુના દિલ પર થાય, નાસ્તિક પણ આસ્તિક થતા, અવળ સવળા થાય.” | સરળ અને ભદ્રિક જીવોને તે પ્રભુ સોધથી તારે તેમાં કશી -નવાઈ નથી; પણ જે તેમની પાસે વેરભાવથી અગર કસોટી કરવાના ભાવથી આવે છે તેવા કમઠ જેવા જીવને કે જેણે નવ પૂર્વભવ સુધી પ્રભુ પાર્શ્વનાથના જીવને પ્રાણાંતક કષ્ટ આપ્યું છતાં પ્રભુ સમભાવમાં દરેક ભવમાં રહ્યા ને દસમા ભવે મેઘમાળી દેવ બનેલા તે જીવના દૈવી ઉપસર્ગો સહન કરીને પણ પાર્શ્વ પ્રભુએ તેને સન્માર્ગમાં આણ્યો, તે જ રીતે પ્રભુ મહાવીરે ગોશાલકના ઉપદ્રવો સહન કરીને પણ તેને -સાચી સમજણના ઘરમાં આપ્યો જેથી પરંપરાએ મોક્ષ પામશે. આવી નિષ્કારણ કરૂણાના ધણી તીર્થકર ભગવંતો હોય છે તેમ અત્રે કહ્યું. હવે પ્રભુને અચિંત્ય મહિમા બતાવે છે : '. - વિવેથડપિ જનપાલક! દુર્ગતત્વ કિંવાક્ષરપ્રકૃતિરયલિપિત્વમીશ ! ! અજ્ઞાનવત્યપિ સદૈવ " કર્થચિદેવ, જ્ઞાન વયિ સુરતિ વિશ્વવિકાસ હેતુ; ૩૦ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy