________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર તો વધુમાં વધુ અર્ધ પુલ પરાવર્ત કાળમાં મોક્ષે જાય છે. કેમ કે એકવાર બીજને ચંદ્ર ઉગે પછી તે અવશ્ય પુર્ણિમાના ચંદ્ર બને જ, તે જ પ્રમાણે જીવને એકવાર બોધબીજ પ્રગટે, પછી તે બીજ નિયમ કેવળજ્ઞાન રૂપી. પૂર્ણિમા પ્રગટાવે જ. અને કેવળજ્ઞાન પ્રગટે એટલે જીવ મોક્ષે જ જાય. - આમ મોક્ષને પામવાને અત્યંત સરળ ભાગ–પ્રભુ ભક્તિનો અત્રે બતાવ્યો. નિશ્ચયથી તે જીવાત્મા પોતાના જ પુરુષાર્થથી મોક્ષને મેળવે છે, પણ વ્યવહારથી જિનેશ્વર ભગવંતોનું, તેમના વીતરાગ માર્ગનું, અને તેમના ભાગે વિચરતા સંતસતીઓનું અવલંબન પણું જીવને અત્યંત ઉપકારી નીવડે છે તે શ્રી બાહુબલિજીના દૃષ્ટતે. જિનેશ્વર ભગવાનના ગુણ ગાવાને દેવાના ગુરુ બૃહસ્પતિ પણ સમર્થ નથી તેમ કહીને જિન-પ્રભુનું અત્યંત માહાત્મય બતાવ્યું. કમઠ દેવના ગવંને બાળનારા કહીને આ સ્તોત્ર ૨૩માં તીર્થકર પ્રભુપાર્શ્વનાથની સ્તુતિ રૂપે રચવામાં આવ્યું છે તેમ અત્રે સ્પષ્ટ કર્યું. (જુઓ પૂર્વભવની કથા). તીર્થકર ભગવંતોને કલ્યાણના ધામ યથાર્થ જ કહ્યા છે તે મોટી સાધુ વંદણાના અનેક મોક્ષગામી જીવોના અધિકારે. હવે ત્રીજી ગાથાથી શ્રી ભક્તામર સ્તોત્રની જેમજ આ સ્તોત્રમાં પણ પ્રથમના બે ચરણમાં પોતાનો હેતુ અને છેલ્લા બે ચરણમાં તે હેતુને સ્પષ્ટ કરતાં દષ્ટાંતો સુંદર ઉપમાઓ સાથે આપવામાં આવ્યા છે. તે 1-2 || . હવે ત્રીજી અને ચોથી ગાથાથી પિતાની લઘુતા અર્થાત્ નમ્રતા અને પ્રભુની મહત્તા બતાવે છે. સામાન્યતડપિ તવ વર્ણયિતું સ્વરૂપ, મસ્માદેશા: કથામધીશ ભવંત્યધીશા: . ધૃષ્ટોડપિ કૌશિક શિશુર્યદિ વા દિવાળે રૂપ પ્રરૂપતિ કિ કિલ ધર્મરમે : 5 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust