SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 225 કલ્યાણમંદિર સ્તોત્ર ડૂબેલા જીવને થતી નથી. પ્રત્યક્ષ થયેલે પુરુષ પિતાને અમૂલ્ય એવું તત્ત્વ આપવા સમર્થ છે, શક્તિમાન છે તે ખ્યાલ પણ તેને આવી શક્તિ નથી, કારણ કે તે તે પિતે માનેલા પરને જ મેળવવામાં સતત પ્રવૃત્તિશીલ હોય છે, પરિણામે બીજે ક્યાંય પણ દષ્ટિ કરવાની કુરસદ પણ તેને રહેતી નથી. આવું જ કંઈક પિતાને વિશે પૂર્વકાળે શ્રી પાર્શ્વનાથ પ્રભુની વિદ્યમાનતાએ બન્યું હશે એ નિર્ણય આચાર્યજી કરે છે. પૂર્વકાળે જ્યારે પ્રભુ તીર્થકર સ્વરૂપે વિચરતા હશે ત્યારે આવા મેહનો પડદો તેમનાં આંતરીક્ષ પર છવાઈ ગયો હવે જોઈએ. જેને લીધે શ્રી પ્રભુનાં સાચી ભાવનાથી ભરેલાં દર્શન તેમને એક વખત પણ થઈ શક્યાં નહિ. જેના પરિણામે આ સંસારનું પરિભ્રમણ અને દુઃખની અનુભૂતિ સતત રહ્યાં કર્યા. એ વખતે એક વખત પણ સાચાં દર્શન થયાં હોત તો, તે દર્શન માત્રથી જ સેંકડે દુઃખે ટળી ગયા હોત, અને મતિ સવળી થઈ જવાથી અન્ય દુ:ખને જન્માવે કે આમંત્રણ આપે એ પ્રકારનાં કર્મબંધનો અવકાશ જ રહ્યો ન હેત. આમ પ્રભુનાં દર્શન કરવામાં દિવાલરૂપ જે કઈ હોય તે તે મેહ છે. કેવો છે આ મહ? આચાર્યજી આ મેહને અંધકારમય ગણાવે છે. દષ્ટિ બરાબર હોય, પરંતુ પ્રકાશને બદલે માત્ર અંધકારનું જ વાતાવરણ હોય તે દૃષ્ટિને કહ્યું સ્પષ્ટ દશ્યમાન થતું નથી. અંધકારમાં સારી વસ્તુ જોવામાં આવી હોય તે પણ તે ન જોયા સમાન જ બની રહે છે, તેને લાભ મળતો નથી. આવું જ મેહના કારણે બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy