SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 153 આમ આ કડીને ઊંડાણથી વિચારતાં પ્રભુનું કાર્ય અને મહાભ્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. તે ઉપરાંત આચાર્યજીની નિષ્ઠા, દશા, ભાવના તથા ગૃઢ રહસ્ય ઉકેલવાની શક્તિ પણ આપણને અહીં જોવા મળે છે. જે આચાર્યજી ઉચ્ચ આત્મા વસ્થાએ બિરાજતા ન હોય તો આવા ગ્ય શબ્દોથી પ્રભુની ઓળખાણ આપણને કરાવી શકે નહિ, એટલું જ નહિ પ્રભુના દેવકૃત અતિશય આ સુંદર અર્થ આપણી સમક્ષ પ્રગટ કરી શક્ત નહિ, અને શુભભાવમય વાણીથી તેમાંથી પ્રગટ બેધ સરળ ભાષામાં વર્ણવી શકે નહિ. (25) उद्योतितेषु भवता भुवनेषु नाथ तारान्वितो विधुरय विहताधिकारः / मुक्ता कलापकलितोच्छ्वसितातपत्र व्याजास्त्रिधा धृततनुध्रुवमभ्युपेतः / / 26 હે નાથ ! આ ત્રિલેકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મિતી સમૂહે શેભતા ત્રણ છત્રના મિષે કરી, - આ પ્રભુની પાસ, નક્કી રૂ૫ ત્રણ જાણે ધરી. 26 * - શ્રી તીર્થંકર પ્રભુનાં એક પછી એક અતિશય, તેનાં રહસ્ય સાથે પ્રગટ કરતાં આચાર્યજી આ કડીમાં પણ એક અતિશય તેનાં રહસ્ય સાથે ખુલ્લો કરે છે. શ્રી પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભી રહે છે તેનું વર્ણન કરતાં આચાર્યજી પ્રભુજીને કહે છે કે, હે નાથે! આપ જ્યારે આ ત્રિલેકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy