SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 132 કલ્યાણમંદિર સ્તોત્ર શ્રી આચાર્યજીએ કરી દીધેલી જણાય છે. જીવ નિત્ય નિગેદમાંથી નીકળી સંસારના પરિભ્રમણમાં આવે ત્યારે પ્રત્યેક વિકાસને પગલે તેને આત્મસમર્થ પ્રભુની સહાયની જરૂર છે. આ સહાય દ્વારા જ તે ઠેઠ કેવળજ્ઞાન સુધીનો વિકાસ કરે છે. એ વાત અહીં આચાર્યજીએ ગૂઢ રીતે મૂકી દીધી છે. નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછી જીવ એકેદ્રિય ગતિમાં જન્મમરણ કરતે કરતે કાળ વ્યતીત કરતો હોય છે. આ પરિભ્રમણ દરમ્યાન તેને જ્ઞાની ભગવંતના સાનિધ્યમાં આવવાને જોગ બને અને શુભભાવ પ્રવતે તે તે જીવ વિકાસકમનું એક પાન ચડે છે, અને એકેદ્રિયમાંથી બેઇદ્રિય જીવ બને છે. તે પછી તે બેઇદ્રિયની નિમાં જન્મમરણ કર્યા કરે છે. તે ભ્રમણ દરમ્યાન જ્યારે તે ગાનુયેગે જ્ઞાની ભગવંતના સાનિધ્યમાં શુભભાવે આવે છે ત્યારે વિકાસકમનું એક પગથિયું તે ચડે છે. એક નવી ઇંદ્રિય પ્રાપ્ત કરી તે ત્રણ ઇંદ્રિયવાળો બને છે. વળી જ્યારે જ્ઞાની ભગવંતના ભેગમાં શુભભાવે આવે ત્યારે તેમની કૃપાથી ચાર ઇંદ્રિય પ્રાપ્ત કરે છે, તે પછી પાંચ ઇંદ્રિય પ્રાપ્ત કરી સંજ્ઞી પંચેંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. અને પિતે પિતાના ભાવેને માલિક બને છે. આ રીતે એકથી પાંચ ઇંદ્રિયના વિકાસમાં શ્રી પ્રભુને અનન્ય ફાળો હોય છે. અને તે પછી પણ જીવ જે જ્ઞાની ભગવંતના ચરણ સેવી પિતાના શુભ ભાવ જાળવી રાખે છે તે આત્મવિકાસ સાધી, પિતે જ બીજાને આત્મવિકાસ કરાવી શકે એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચી જાય છે. પ્રત્યેક જ્ઞાની ભગવંત-સાચાં મુનિ જીવેને આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy