SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમો સર્ગ, (445) રથના બખ્તર ભાંગી ગયા, કેટલાકના પ્રબળ ભુજ સહિત ધ્વજો પડી ગયા, કેટલાકના મનેર સહિત મસ્તકે પણ પડી ગયાં, કેટલાકના પરાક્રમ સહિત દઢ એવા ધનુષ્ય પણ ભાંગી ગયાં, કેટલાક શત્રુઓના પ્રાણે સહિત સારથીઓ નાશી ગયા, કેટલાકના પરાક્રમ સહિત શસ્ત્રોના કકડા થઈ ગયા, કેટલાકના ભયને લીધે હૃદયે સહિત પડખાં શન્ય થઈ ગયાં, કેટલાક કની જીતવાની ઈચ્છા સાથે જ હાથમાંથી શસ્ત્રોને સમૂહ પડી ગયો, અને કેટલાક લજજા, યશ અને વીરદ્રત વિગેરે સહિત નાશી ગયા. આ પ્રમાણે યુદ્ધ કરતા તે ભેગરતિ વિગેરે આઠે વિદ્યાધરેએ ઉપદ્રવ કરેલું ચક્રવતીનું સન્ય ધર્મથી અભવ્યની જેમ યુદ્ધભૂમિથી પાછું હઠયું. તે સૈન્યને પાછું હઠતું જોઈને સિંહે જોડેલા રથમાં બેલે અંડેવેગ સેનાપતિ પિતાના કરડ સુભટેના સૈન્ય સહિત પિતાના સૈન્યને ધીરજ આપતે રણભૂમિમાં આવ્યું, અને ભેગરત્યાદિક સાથે યુદ્ધ કરવા લાગ્યું. તેમજ મદન 1, તપન 2, ભીમ 3, પ્રતાપ 4, અક્ષોભ પ, કાસર 6 અને રમણ 7 વિગેરે ચોદ્ધાઓ પણ સિંહ જોડેલા રથમાં બેશી યુદ્ધ કરવા લાગ્યા. તે સેનાપતિ ચોતરફ પ્રસરતા બાવડે યુદ્ધ કરતા હતા ત્યારે પ્રચંડ વાયુ વાવાથી વનની જેમ કુમારરાજનું સેન્ય કંપવા લાગ્યું. સેનાપતિએ કેટલાક શત્રુને હૃદયમાં, કેટલાકને મુખમાં, કેટલાકને નાભિમાં, કેટલાકને હાથમાં અને કેટલાકને પગમાં તીક્ષણ બાવડે વીંધી નાખ્યા. . ત્યારપછી ભેગરતિ વીરે યુદ્ધમાં સેનાપતિને રૂં. એ જ રીતે ચંદ્રબાહુએ મદનને, મહાબાહુએ તપનને, ચંદ્રવેગ ખેચરે ભીમને, ચંદ્રચુડ રાજાએ પ્રતાપને, રત્નડ રાજાએ અક્ષોભને, તડિÀગે કાસરને તથા ચંદ્રામે યુદ્ધની ઉત્કંઠાથી રમણ રાજાને બેલા. એ જ પ્રમાણે બીજા પણ શ્રેષ્ઠ વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વીરોના પ્રાણવાયુનું પાન કરી બળને પામેલા ( બળવાન થયેલા)સુભટના બાણરૂપી સર્પો શત્રુઓને ડસી ડસીને ચેતના રહિત કરવા લાગ્યા. જેમ સદ્દગુરૂ સદુપદેશવડે ભવ્ય પ્રાણીના મિથ્યાત્વને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy